ગાંધીનગર: વાત વર્ષ 1972ની છે. ગુજરાતમાં ચોથી વિધાનસભા માટે ચૂંટણી યોજાઇ ચુકી હતી, ત્યારે 168 બેઠક ધરાવતી વિધાનસભામાં કોંગ્રેસે 140 બેઠક જીતીને પ્રચંડ બહુમત મેળવ્યો હતો. ઘનશ્યામ છોટાલાલ ઓઝાએ 17 માર્ચ, 1972માં ગુજરાતના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા, તેમની સાથે યુવા કોંગ્રેસ નેતા ચિમનભાઇ પટેલને ગુજરાતના પ્રથમ નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. ચિમનભાઇ પટેલ મુખ્યમંત્રી બનવા માંગતા હતા પરંતુ તેમના સમર્થનમાં ધારાસભ્ય ઓછા હતા.
Advertisement
Advertisement
આશરે 9 મહિના પછી એટલે કે જૂન 1973 સુધી ચિમનભાઇ પટેલના સમર્થનમાં કોંગ્રેસના અડધા એટલે કે 70 ધારાસભ્ય આવી ગયા હતા. છતા પણ ચિમનભાઇ પટેલ બહુમતથી દૂર હતા, તેમ છતા તે મુખ્યમંત્રી પદ પર પોતાની દાવેદારી રજૂ કરવા માટે તે બેચેન હતા, તે સમયે ઇન્દિરા ગાંધી દેશના વડાપ્રધાન હતા. જ્યારે ઇન્દિરા ગાંધી મુંબઇ પ્રવાસે રાજભવનમાં હતા ત્યારે ચિમનભાઇ પટેલ તેમણે મળવા જઇ પહોચ્યા હતા.
ચિમનભાઇ પટેલ અને ઇન્દિરા ગાંધીની મુલાકાત સારી નહતી. ચિમનભાઇ પટેલે ત્યારે ઇન્દિરા ગાંધીને પડકાર આપતા કહ્યુ હતુ કે તમે આ નક્કી નથી કરી શકતા કે ગુજરાતમાં વિધાયક દળના નેતા કોણ હશે. આ તો ત્યાના ધારાસભ્ય જ નક્કી કરશે. ઇન્દિરા ગાંધીએ ત્યારે ચિમનભાઇ પટેલનો કોઇ વિરોધ કર્યો નહતો અને તેમણે ગુજરાત પ્રભારીને મળવા માટે કહ્યુ હતુ.
સાત વોટથી જીતી ગયા હતા ચિમનભાઇ પટેલ
તે સમયે સરદાર સ્વર્ણ સિંહ ગુજરાતના પ્રભારી હતા અને કેન્દ્ર સરકારમાં વિદેશ મંત્રી હતા. સ્વર્ણ સિંહે ગુજરાતની આ સમસ્યાના સમાધાન માટે ગુપ્ત મતદાન કરાવવાનું સૂચન આપ્યુ હતુ. આ પહેલા આવુ ક્યારેય થયુ નહતુ. સ્વર્ણ સિંહની વાત પાર્ટી નેતૃત્વએ માની લીધી હતી. સ્વર્ણ સિંહ ખુદ ગુજરાત આવ્યા હતા અને ત્યા ગુપ્ત મતદાન કરાવ્યુ હતુ પરંતુ તેમની ગણતરી દિલ્હીમાં આવીને થઇ હતી. આ ગુપ્ત મતદાનમાં ચિમનભાઇ પટેલે પોતાના વિરોધી કાંતિલાલ ધઇયાને સાત મતથી હરાવ્યા હતા.
તે બાદ ચિમનભાઇ પટેલે 18 જુલાઇ 1973માં ગુજરાતના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. તે પાટીદાર સમાજમાંથી મુખ્યમંત્રી બનનારા પ્રથમ વ્યક્તિ બન્યા હતા. ચિમનભાઇ પટેલ લાંબા સમય સુધી આ પદ પર રહી શક્યા નહતા, તેમણે ઇન્દિરા ગાંધી સાથે ટકરાવને કારણે અને તેમણે પડકાર આપવાની કિંમત ચુકવવી પડી હતી. ભાવ વધારો અને ભ્રષ્ટાચારના આરોપો પર વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ તેમણે 9 ફેબ્રુઆરી, 1974માં પદ પરથી હટાવી દીધા હતા અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દીધુ હતુ. રાજ્યમાં નવ નિર્માણ આંદોલનને જોતા ઇન્દિરા ગાંધીએ તેમણે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાવી દીધા હતા.
આ પણ વાંચો: ગુજરાતના રાજકારણમાં પાટીદાર કેમ મહત્વપૂર્ણ? ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ક્યો વિકલ્પ પસંદ કરશે
આ પહેલા ઇન્દિરા ગાંધીએ તેમણે રાજીનામું આપવા કહ્યુ હતુ પરંતુ ચિમનભાઇ પટેલે આમ કરવાનો ઇનકાર કર્યો હતો, ત્યારે પાર્ટી વિરોધી ગતિવિધિમાં સામેલ થવાના આરોપમાં ચિમનભાઇ પટેલને કોંગ્રેસમાંથી બહારનો રસ્તો બતાવી દીધો હતો. આવુ પ્રથમ વખત થયુ હતુ કે ઇન્દિરા ગાંધીના આદેશનું ઉલ્લંઘ કરવાને કારણે કોઇ નેતાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હોય. વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના નેતૃત્વમાં તે સમયે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસે જીત મેળવીને નવી રાજકીય શક્તિ પ્રાપ્ત કરી હતી.
ફરી બન્યા મુખ્યમંત્રી
ચિમનભાઇ પટેલ 4 માર્ચ 1990માં જનતા દળ-ભાજપ ગઠબંધન સરકારના નેતૃત્વ કરતા ફરી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. રથયાત્રા દરમિયાન બિહારમાં લાલકૃષ્ણ અડવાણીની ધરપકડ બાદ જ્યારે 25 ઓક્ટોબર 1990માં ગઠબંધન તૂટ્યુ તો, તે કોંગ્રેસ સમર્થનમાં પોતાની ખુરશી બચાવવામાં સફળ રહ્યા હતા. બાદમાં ચિમનભાઇ પટેલ ફરીથી કોંગ્રેસમાં સામેલ થયા હતા અને 17 ફેબ્રુઆરી 1994માં પોતાના મૃત્યુ સુધી કોંગ્રેસમાં જ રહ્યા હતા.
Advertisement