નવી દિલ્હી: સંસદનું શિયાળુ સત્ર 7 ડિસેમ્બરથી શરૂ થશે જે 29 ડિસેમ્બર સુધી ચાલશે. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ આ જાણકારી આપી છે. કેન્દ્રીય મંત્રીએ ટ્વીટ કરીને કહ્યુ, સંસદનું શિયાળુ સત્ર 7 ડિસેમ્બરથી શરૂ થશે અને 29 ડિસેમ્બર સુધી ચાલશે. આ દરમિયાન 23 દિવસમાં 17 બેઠક મળશે. અમૃત કાળ સત્ર દરમિયાન વિધાયી કાર્ય અને અન્ય મુદ્દા પર ચર્ચા થવાની આશા છે.
Advertisement
Advertisement
શિયાળુ સત્રના પ્રથમ દિવસે તે સાંસદોની યાદમાં સ્થગિત કરી દેવામાં આવશે જેમનું તાજેતરમાં નિધન થયુ છે. જેમાં સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવ પણ સામેલ છે. સૂત્રોનું કહેવુ છે કે આ સેશનમાં કોઇ રીતનો કોવિડ પ્રોટોકોલ લાગુ નહી થાય. કહેવામાં આવી રહ્યુ છે કે કોરોનાના કેસમાં આવેલા ઘટાડા અને લોકસભા અને રાજ્યસભા બન્ને સદનમાં સભ્યોનું પૂર્ણ રસીકરણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય થયો છે.
શિયાળુ સત્ર હંગામેદાર થવાની આશા
સંસદનું આ એવુ પ્રથમ સત્ર હશે જ્યારે ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ રાજ્યસભાના સભાપતિ તરીકે કાર્યભાર સંભાળશે. કેન્દ્ર સરકાર તરફથી તે બિલની યાદી તૈયાર કરવામાં આવી રહી છે જેમણે વર્તમાન સેશનમાં પાસ કરાવવાનો પ્રયાસ થશે. માનવામાં આવી રહ્યુ છે કે દર વખતની જેમ આ વખતે પણ શિયાળુ સત્ર હંગામેદાર થવાની આશા છે. મહત્વપૂર્ણ છે કે ચોમાસુ સત્ર 18 જુલાઇથી 8 ઓગસ્ટ વચ્ચે ચાલ્યુ હતુ. આ 22 દિવસ દરમિયાન 16 સેશન્સ થયા હતા.
Advertisement