નવી દિલ્હી: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા વર્ષ 2016માં કરાયેલા નોટબંધીના નિર્ણયની સુપ્રીમ કોર્ટ સમીક્ષા કરશે. આ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે કેન્દ્ર સરકાર અને ભારતીય રિઝર્વ બેંક (RBI)ને આ મામલે વિગતવાર સોગંદનામું દાખલ કરવા જણાવ્યું છે. આ મામલાને લગતી અરજીઓ પર સુનાવણી કરતી વખતે, કોર્ટે કહ્યું કે તે સરકારના નીતિગત નિર્ણયોની ન્યાયિક સમીક્ષા પર ‘લક્ષ્મણ રેખા’થી વાકેફ છે, પરંતુ નોટબંધીના નિર્ણયની ચોક્કસપણે સમીક્ષા કરશે.
Advertisement
Advertisement
વડાપ્રધાન મોદીએ 8 નવેમ્બર 2016ના રોજ નોટબંધીની જાહેરાત કરી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર, 2016ની રાત્રે રાષ્ટ્રને સંબોધિત કરતા કાળા નાણાને બહાર કાઢવા માટે નોટબંધીની જાહેરાત કરી હતી. તે દરમિયાન તેમણે 1000 અને 500 રૂપિયાની જૂની નોટોને રદ કરી નાખી હતી, આ આખા દેશ માટે મોટો ઝટકો હતો. તે પછી વિરોધીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આ નિર્ણયને પડકાર્યો હતો પરંતુ તેની પર હજુ સુધી કોઇ કડક નિર્ણય લેવામાં આવ્યો નથી.
અગાઉ આ મામલાની સુનાવણી સુપ્રીમ કોર્ટની સામાન્ય બેંચમાં ચાલી રહી હતી, પરંતુ બાદમાં આ મામલો બંધારણીય બેંચને મોકલવામાં આવ્યો હતો. જે બાદ સરકારના નિર્ણય સામે બીજી ઘણી નવી અરજીઓ દાખલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: દિવાળી પહેલા પેટ્રોલિયમ કંપનીઓને મોટી રાહત, સરકારે 22 હજાર કરોડની ગ્રાન્ટને આપી મંજૂરી
સુપ્રીમ કોર્ટે સુનાવણી અંગે શું કહ્યું?
આ મામલાની સુનાવણી કરતા જસ્ટિસ એસએ નઝીર, બીઆર ગવઈ, એએસ બોપન્ના, જસ્ટિસ વી રામાસુબ્રમણ્યમ અને જસ્ટિસ બીવી નાગરથ્નાની બંધારણીય બેન્ચે કહ્યું કે તે સરકારના નીતિગત નિર્ણયોની ન્યાયિક સમીક્ષા અંગે ‘લક્ષ્મણ રેખા’થી વાકેફ છે, પરંતુ 2016ના નોટબંધીના નિર્ણયની ચોક્કસપણે સમીક્ષા કરશે. આગામી સુનાવણી 9 નવેમ્બરે થશે.
Advertisement