ગાંધીનગર: ગુજરાતમાં પેપર લીક સામે કાયદાનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે. ભૂપેન્દ્ર સરકાર પેપર લીકના આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા માંગે છે. પેપર લીક કરનાર આરોપીને 10 વર્ષી કેદ અને 1 કરોડના દંડની જોગવાઇ કરવામાં આવી છે. ભરતી પરીક્ષામાં બિન-વિવાદાસ્પદ વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે કાયદો અમલમાં આવી શકે છે. આ બિલમાં બિન જામીનપાત્ર ગુનો નોંધાશે.
Advertisement
Advertisement
ગુજરાત સરકાર પેપર લીક મામલે ગેરરિતી અટકાવવા માટે નવુ વિધેયક લાવવા જઇ રહી છે. ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક 2023 બજેટ સત્રમાં પસાર કરવામાં આવી શકે છે. આ વિધેયક અનુસાર પરીક્ષામાં ચોરી કરનારને 3 વર્ષની સજાની જોગવાઇ તેમજ 1 લાખની દંડની જોગવાઇ પણ કરવામાં આવી છે. સરકારે પોતાની ઇચ્છાશક્તિ વ્યક્ત કરી છે અને ગેરરીતિ અને પેપર ફૂટવાની વ્યાખ્યા પણ કરવામાં આવી છે. આ વિધેયક અનુસાર અનેક પ્રકારની જોગવાઇ કરવામાં આવી છે જેમાં કોઇ પણ જગ્યાએ પેપર ફોડનાર 10 વખત વિચાર કરશે. પેપર લીક અંગે કાયદાનું બિલ બનાવવામાં આવ્યુ તે ધારાસભ્યોને આપવામાં આવ્યું છે. બજેટ સત્ર દરમિયાન આ વિધેયક સરકાર પસાર કરાવશે. કોઇ પણ વ્યક્તિ હવે પેપર લીક કરતા સમયે 10 વખત વિચાર કરશે તેવી જોગવાઇ કરવામાં આવી છે. ચોરી કરનાર 2 વર્ષ સુધી કોઇ પરીક્ષા નહી આપી શકે.
પેપર લીક કરનાર સામે કેવી સજાની જોગવાઇ
-
જે પરીક્ષાર્થી પેપર ખરીદશે અને તેમાં પકડાશે તો 3 વર્ષની સજાની જોગવાઇ અને 1 લાખના દંડની જોગવાઇ
-
જે લોકો પરીક્ષા સાથે સંકળાયેલા છે, પરીક્ષાના તે તમામ આયોજન સાથે સંકળાયેલા છે અને આ ષડયંત્રમાં સામેલ હોય તો તેમણે 5 વર્ષની સજાની જોગવાઇ અને 1 લાખના દંડની જોગવાઇ
-
જે લોકોનો પરીક્ષા સાથે કોઇ લેવા દેવા નથી અને તે કોઇ વ્યવસ્થામાં નથી અને તે પેપર ફોડે છે તો 7 વર્ષની સજા અને 1 કરોડના દંડની જોગવાઇ કરવામાં આવી છે.
23 તારીખથી બજેટ સત્ર શરૂ થશે અને વિપક્ષનો પણ સાથ મળવાનો છે. સર્વાનુમતે આ બિલ પસાર થશે અને કાયદો બનશે. મહત્વપૂર્ણ છે કે ભૂપેન્દ્ર સરકાર બન્યાના ગણતરીના દિવસોમાં જ જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયુ હતુ અને 9.53 લાખ ઉમેદવારોની નારાજગી સરકારે સહન કરવી પડી હતી. ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ના બને તે માટે રાજ્ય સરકારે બે મહત્વપૂર્ણ પગલા ભર્યા હતા. IPS હસમુખ પટેલને પંચાયત સેવા પસંદગી બોર્ડના વડા બનાવવામાં આવ્યા હતા અને બીજુ રાજ્ય સરકાર પેપર લીક કરનારાઓ સામે કાયદો લાવી રહી છે.
Advertisement