નવી દિલ્હી: હિંડનબર્ગના રિપોર્ટ પછી અદાણી ગ્રુપના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. બીજી તરફ વિપક્ષ સંસદથી લઇને સડક સુધી હંગામો કરી રહ્યું છે. આ વચ્ચે સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીનું નિવેદન સામે આવ્યું છે. કેન્દ્ર સરકારના મંત્રીએ કહ્યુ કે, ભારત સરકારનું અદાણી ગ્રુપ સાથે કોઇ પણ લેવા દેવા નથી.
Advertisement
Advertisement
સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે,
“સરકારનું આ મામલે કોઇ લેવા દેવા નથી, વિપક્ષ આ મુદ્દાને એટલા માટે ઉઠાવી રહ્યું છે કારણ કે તેમની પાસે બીજો કોઇ મુદ્દો નથી.”
અદાણીને લઇને વિપક્ષ સંસદમાં હિંડનબર્ગના રિપોર્ટ અને અદાણી ગ્રુપ પર લાગેલા આરોપોને લઇને ચર્ચાની માંગ કરી રહ્યું છે. જેને લઇને ગુરૂવારે પણ સદનમાં હંગામો થયો હતો. સંસદની કાર્યવાહી શરૂ થતા જ બન્ને સદનમાં વિપક્ષી સાંસદ અદાણી ગ્રુપને લઇને હિંડનબર્ગના રિપોર્ટને લઇને આક્રમક બની ગયા હતા.
બીજી તરફ કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે સંસદ સોમવાર સુધી સ્થગિત થઇ ગઇ છે, કારણ કે વિપક્ષ PM મોદી સાથે જોડાયેલા અદાણી મુદ્દા પર તપાસ સંસદીય પેનલ (JPC)ની માંગ કરી રહ્યું છે, કારણ કે આ મામલે કરોડો ભારતીયોની બચત ખતરામાં છે પરંતુ સરકાર કહી રહી છે કે સાંસદ જનતાના પૈસાની બરબાદી કરી રહ્યા છે. આ મહાકૌભાંડ પાછળ કેટલાક દિવસમાં લોકોના કરોડો રૂપિયા ડૂબ્યા છે, તેનું શું?
આ પણ વાંચો: Adani Group Stocks: અદાણી એન્ટરપ્રાઇઝને અમેરિકન બજારના Dow Jonesએ સસ્ટેનબિલિટી ઇન્ડેક્સમાંથી બહાર કરી
અદાણીનું પતન ક્યાથી શરૂ થયુ?
ગૌતમ અદાણીની મુશ્કેલી 24 જાન્યુઆરીથી વધવાની શરૂ થઇ હતી. જ્યારે અમેરિકાની શૉર્ટ સેલર રિસર્ચ ફર્મ હિંડનબર્ગ અદાણી પર આરોપ લગાવે છે. જોકે, અદાણી આ તમામ આરોપોને ફગાવી રહ્યા છે.
હિંડનબર્ગ શું છે?
હિંડનબર્ગ રિસર્ચ એ નાણાકીય સંશોધન પેઢી છે જે ઇક્વિટી, ક્રેડિટ અને ડેરિવેટિવ્ઝ માર્કેટ ડેટાનું વિશ્લેષણ કરે છે. 25 જાન્યુઆરીના રોજ, હિંડનબર્ગે અદાણી ગ્રુપ અંગે 32,000 શબ્દોનો અહેવાલ રિપોર્ટ જાહેર કર્યો હતો.
હિંડનબર્ગ રિપોર્ટમાં શું છે?
હિન્ડેનબર્ગ રિપોર્ટના નિષ્કર્ષમાં 88 પ્રશ્નોનો સમાવેશ થાય છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે આ ગ્રુપ દાયકાથી સ્ટોક મેનીપ્યુલેશન અને એકાઉન્ટ ફ્રોડમાં સામેલ છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની સંપત્તિ શેરના ભાવમાં વધારાને કારણે ત્રણ વર્ષમાં $1 બિલિયનથી વધીને $120 બિલિયન થઈ છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે અદાણી ગ્રુપ દાયકાથી સ્ટોક મેનીપ્યુલેશ અને એકાઉન્ટ ફ્રોડમાં ખુલ્લેઆમ સામેલ છે.
અદાણીની સંપત્તિ સતત ઘટી રહી છે
ફૉર્બ્સની યાદી પ્રમાણે સૌથી અમીર વ્યક્તિઓની યાદીમાં અદાણી ગ્રુપના ચેરમેન 17માં સ્થાન પર પહોચી ગયા છે. અદાણીની નેટવર્થ 61.9 બિલિયન ડૉલર છે. અદાણીની સંપત્તિ એક સમયે 120 બિલિયન ડૉલર પહોચી ગઇ હતી. જોકે, હિંડનબર્ગના રિપોર્ટ પછી અદાણીની સંપત્તિમાં સતત ઘટાડો થયો હતો અને એક સમયે 54.7 બિલિયન ડૉલર પહોચી ગઇ હતી.
Advertisement