નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બજેટ સત્ર 2023માં સામેલ થવા સંસદ ભવન પહોચ્યા છે. પીએમ મોદીએ કહ્યુ કે આજે બજેટ સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે. પ્રારંભમાં જ અર્થ જગતના જે અવાજની માન્યતા હોય છે. તેવો અવાજ ચારે તરફથી સકારાત્મક સંદેશ લઇને આવી રહ્યું છે.
Advertisement
Advertisement
પીએમ મોદીએ કહ્યુ કે આજે ઉમંગનો અવાજ લઇને આવી રહ્યું છે. આજે એક મહત્વનો અવસર છે. ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ આજે પ્રથમ સંયુક્ત સંદનને તે સંબોધિત કરશે. આજે નારી સમ્માનની પણ અવસર છે. અંતરિયાળ જંગલમાં જીવન વિતાવનારા આપણા દેશના મહાન આદિવાસીઓના સમ્માનનો સમય છે. માત્ર સાંસદો જ નહી પણ આજે આખા દેશ માટે ગૌરવની ક્ષણ છે કે ભારતના રાષ્ટ્રપતિજીનું આજે પ્રથમ સંબોધન થઇ રહ્યું છે.
આજે રાષ્ટ્રપતિનું પ્રથમ અભિભાષણ છે, તમામ સાંસદો તરફથી ઉમંદ, ઉત્સાહ અને ઉર્જાથી ભરેલી આ ક્ષણ હોય. મને વિશ્વાસ છે કે તમામ સાંસદ આ કસોટી પર ખરા ઉતરશે. આપણા દેશના નાણા મંત્રી પણ મહિલા છે. તે કાલે સામાન્ય બજેટ લઇને સંસદમાં આવશે. આજની વૈશ્વિક પરિસ્થિતિમાં ભારતના બજેટની તરફ માત્ર ભારત જ નહી પણ વિશ્વનું ધ્યાન છે. ડાવાડોળ વિશ્વની આર્થિક પરિસ્થિતિમાં ભારતનું બજેટ ભારતના સામાન્ય લોકોની આશાને પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે જ પરંતુ વિશ્વ જે આશાનું કિરણ જોઇ રહ્યું છે તે વધુ પ્રકાશમાન જોવા મળશે. મને વિશ્વાસ છે કે નિર્મલાજી આ આશાઓને પૂર્ણ કરવા માટે પુરો જોર લગાવશે.
સૌથી પહેલા દેશ, સૌથી પહેલા દેશવાસી, તે ભાવનાને આગળ વધારતા આ બજેટ સત્રમાં પણ તકરાર પણ રહેશે પરંતુ તકરીર પણ થવી જોઇએ, મને વિશ્વાસ છે કે વિપક્ષના તમામ સાથી તૈયારી સાથે ઘણા અધ્યય કરીને સદનમાં પોતાની વાત મુકશે. સદન દેશની નીતિ નિર્ધારણમાં ઘણી સારી રીતે ચર્ચા કરવા માટે અમૃત કાઢશે અને દેશનું કામ નીકળશે.
Advertisement