ગાંધીનગર: ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ગોપાલ ઇટાલિયાની ધરપકડને લઇને આપના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ટ્વીટ કર્યુ છે. અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, ગોપાલ ઇટાલિયાની ધરપકડથી ગુજરાતના પટેલ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
Advertisement
Advertisement
गोपाल इटालिया की गिरफ़्तारी से पूरे गुजरात के पटेल समाज में भारी रोष है।
— Arvind Kejriwal (@ArvindKejriwal) October 13, 2022
ગોપાલ ઇટાલિયાની ધરપકડ પછી AAPએ પત્રકાર પરિષદ કરી હતી. પ્રવક્તા સૌરભ ભારદ્વાજે કહ્યુ કે ભાજપની કેન્દ્ર સરકારની દિલ્હી પોલીસે ઇટાલિયાની કારણ વગર ધરપકડ કરી છે. ભાજપ દરરોજ નિરાધાર વીડિયો જાહેર કરે છે. ભાજપ આવા નિરાધાર વીડિયોથી બીજાનું ધ્યાન ભટકાવવા માંગે છે. સૌરભ ભારદ્વાજે કહ્યુ- અમે જાણીયે છીએ કે દેશમાં ભાજપ વિરૂદ્ધ સૌથી મોટા આંદોલનમાંથી એકનું નેતૃત્વ ગુજરાતના પટેલોએ કર્યુ હતુ, તેમની ધરપકડ સરદાર પટેલના સાચા અધિકારીઓ પર હુમલો છે, તેમણે કહ્યુ કે તેનાથી પાટીદાર સમુદાય પ્રત્યે તેમની નફરત હવે ઉજાગર થઇ ગઇ છે.
આ પણ વાંચો: ગોપાલ ઇટાલિયાની દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ, મહિલા આયોગની ઓફિસે જવાબ આપવા પહોચ્યા હતા
આપના નેતાએ કહ્યુ કે ગુજરાતનો પુરો પટેલ સમુદાય આ ઘટનાને લઇને ગુસ્સામાં છે. ભાજપમાં પાટીદારોને તેવી રીતે રાખવામાં આવ્યા છે, જેમ ભાજપમાં મુસ્લિમોને પ્રવક્તાના રૂપમાં સામેલ કરવામાં આવ્યા છે. સૌરભ ભારદ્વાજે કહ્યુ કે ભાજપ અને ભાજપની NCW (રાષ્ટ્રીય મહિલા આયોગ) ગોપાલ ઇટાલિયા વિરૂદ્ધ કામ કરી રહ્યા છે. 27 વર્ષથી શાસનમાં ભાજપ પાસે ગુજરાતના શિક્ષણ અને સ્વાસ્થ્ય વ્યવસ્થા વિશે વાત કરવા માટે કઇ નથી.
આખો પટેલ સમાજ ભાજપ સાથે બદલો લેશે
સંજય સિંહે કહ્યુ કે ગુજરાતનો આખો પટેલ સમાજ જોઇ રહ્યો છે કે ઇટાલિયા વિરૂદ્ધ જૂઠા કેસમાં કાર્યવાહી થઇ રહી છે. આખો પટેલ સમાજ ભાજપ સાથે બદલો લેશએ અને ગુજરાતની ચૂંટણીમાં ભાજપની હારને સુનિશ્ચિત કરશે.
આમ આદમી પાર્ટીના નેશનલ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ કહ્યુ કે ગોપાલ પાટીદાર છે માટે ગેર ગુજરાતીના કહેવા પર તેમની ધરપકડ કરવામાં આવી છે.
Advertisement