નવી દિલ્હીઃ રાહુલ ગાંધીની બ્રિટન મુલાકાત અગાઉથી જ વિવાદોમાં ઘેરાયેલી રહી છે. ભાજપા નેતાઓ ભારત સરકાર અને આરએસએસ અંગેના રાહુલ ગાંધીના નિવેદનોનો વિરોધ કરી રહ્યા છે.
Advertisement
Advertisement
દરમિયાન કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ફરી એક વખત રાહુલ ગાંધીના બહાને કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. ઠાકુરે ક્હયું કે ભ્રષ્ટાચાર આચરવાની કળા કોંગ્રેસ પાસેથી શીખવી જોઈએ અને રાહુલ ગાંધી વિદેશ જઈને જે રીતે ભારત વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યા છે તેના માટે તેમણે માફી માગવી જોઈએ.
મીડિયા સાથેની વાતચીતમાં કેન્દ્રીયમંત્રી ઠાકુરે કહ્યું કે આજે ભારત એક તરફ વૈશ્વિક સ્તરે મહાશક્તિ તરીકે ઉભરી રહ્યું છે અને ભારત G20ની અધ્યક્ષતા કરી રહ્યું છે.આ તમામ બાબતો ભારત આગળ વધી રહ્યું છે તે દર્શાવે છે. પરંતુ, બીજી બાજુ રાહુલ ગાંધી વિદેશ જઈને ભારતને અપમાનિત કરવાની એક પણ તક છોડતાં નથી. એક બાજુ ગૃહ ચાલી રહ્યું છે અને તે દુનિયાભરમાં કહે છે કે તેમને બોલવાની તક આપવામાં આવતી નથી. ગૃહમાં તેમની હાજરી જ ખૂબ ઓછી હોય છે.
આ ઉપરાંત ઠાકુરે કહ્યું કે રાહુલ ગાંધી વિદેશ જઈને ભારતને અપમાનિત કરે છે તેથી કોંગ્રેસ રોવા-ધોવાનું બંધ કરે અને દેશની માફી માગે. રાહુલ ગાંધી તમે બહાર જઈને દેશને બદનામ કરો છો…તમારે ગૃહમાં આવીને દેશની માફી માગવી જોઈએ. કોંગ્રેસ પાસેથી ભ્રષ્ટાચાર આચરવાની કળા શીખવી જોઈએ. ટેરર ફંડિંગના મામલાની તપાસ કરનારા સંગઠન હવે કોંગ્રેસના ભ્રષ્ટાચાર મોડલ પર કેસ સ્ટડી કરી રહ્યા છે.
Advertisement