બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવના પરિવારજનોની મુશ્કેલીઓ જમીનના બદલામાં નોકરી આપવાના કેસમાં વધી રહી છે. હવે કેન્દ્રીય તપાસ બ્યૂરો (CBI)એ બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. સીબીઆઈએ આ અગાઉ 4 ફેબ્રુઆરીએ પણ તેજસ્વી યાદવને સમન્સ જારી કર્યું હતું. પરંતુ, તેઓ તપાસ એજન્સી સમક્ષ હાજર થયા ન હતા.તેથી આજે પૂછપરછ માટે હાજર રહેવા જણાવાયું હતું. તેજસ્વી યાદવને જમીનના બદલામાં નોકરી કૌભાંડમાં તેમની વિરુધ્ધ મળેલા પૂરાવાના આધારે સમન્સ જારી કરાયું છે.
Advertisement
Advertisement
હાજર થવા માટે તેજસ્વી યાદવે સમય માગ્યો
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, તેજસ્વી યાદવે આજે CBI સમક્ષ હાજર થવાનો ઈનકાર કર્યો હતો. તેના માટે તેમણે તેમની પત્નીનું સ્વાસ્થ્ય ખરાબ હોવાનું કારણ આપ્યું છે. હકીકતે,EDના દરોડા પછી તેમના પત્નીને દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ ગર્ભવતી છે અને 12 કલાકની પૂછપરછ પછી તેમનું બ્લડપ્રેશર વધી ગયું હતું. તેને લીધે તેઓ બેભાન થઈ ગયા હતા.
શું છે નોકરીના બદલામાં જમીન કૌભાંડનો કેસ
સીબીઆઈનું કહેવું છે કે લાલૂ યાદવ જ્યારે રેલ મંત્રી હતા ત્યારે આ કથિત નોકરીના બદલામાં જમીન કૌભાંડ થયું હતું. તેમના પર આરોપ છે કે રેલ મંત્રી તરીકે તેમણે ખાનગી રીતે 12 લોકોને ગ્રૂપ ડીની નોકરી આપી હતી. તેમના પરિવારજનોએ પટણામાં જમીનનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. સીબીઆઈનો દાવો છે કે પ્લોટ લાલૂ યાદવના પત્ની રાબડી દેવી, પુત્રી મીસા ભારતી અને હેમા યાદવના નામે નોંધાયેલા હતા અને જમીનની નજીવી કિંમત રોકડમાં ચૂકવવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ અરજી કર્યાના માત્ર ત્રણ દિવસમાં જ નોકરી આપી દેવામાં આવી હતી.
લાલૂ અને રાબડીની પૂછપરછ
આ અગાઉ સીબીઆઈએ સોમવારે પટણામાં રાબડી દેવીના ઘર પર તેમની પૂછપરછ કરી હતી. તે પછીના દિવસે સીબીઆઈની ટીમ મીસા ભારતીના દિલ્હી ખાતેના ઘરે પહોંચી હતી. ત્યાં સીબીઆઈએ લાલૂ યાદવની ઘમાં કલાક સુધી પૂછપરછ કરી હતી.લાલૂ પ્રસાદ યાદવ સિંગાપૂરમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા પછી ભારત પાછા ફર્યા છે અને હાલમાં તેમની પુત્રી સાથે દિલ્હીમાં રહે છે.
લાલૂએ કહ્યું – ભાજપા અને આરએસએસ સામે નહીં ઝુકું
લાલૂએ જાહેર કર્યું હતું કે ભાજપા અને આરએસએસ સામેની તેમની વૈચારિક લડાઈ ચાલુ જ રહેશે અને તેમના પરિવારનો એકપણ સભ્ય ભાજપાના રાજકારણ આગળ ઝૂકશે નહીં. લાલૂએ ટ્વીટમાં લખ્યું, ” સંઘ અને ભાજપા વિરુદ્ધ મારું વૈચારિક યુદ્ધ રહ્યું છે અને રહેશે. તેમની સામે મેં કદી ઘૂંટણ ટેકવ્યા નથી અને મારો પરિવારતથા પક્ષની એક પણ વ્યક્તિ તમારી રાજનીતિ સામે ઝૂકશે નહીં.”
Advertisement