આ વર્ષે તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે Tamil Nadu Election Preparation
નવી દિલ્હી: દેશમાં આજે મકરસંક્રાંતિ, બિહૂ, ઉત્તરાયણ, ઘુઘુતિયા અને પોંગલના તહેવાર મનાવવામાં આવી રહ્યા છે. દક્ષિણ ભારતના રાજ્યોમાં ખાસકરી તમિલનાડુમાં પોંગલ સૌથી ખાસ તહેવાર હોય છે. ચાર દિવસ સુધી ઉજવાતો આ તહેવારના પર્વની શરૂઆત આજથી થઇ રહી છે. આ તહેવારમાં સામેલ થવા અને તમિલ કલ્ચરને જોવા માટે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી તમિલનાડુના પ્રવાસે છે. Tamil Nadu Election Preparation
આગામી મહિનાઓમાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે. તેને ધ્યાનમાં લેતા રાહુલ ગાંધી સાથે અન્ય રાજકારણીઓ પણ હાલ તમિલનાડુના પ્રવાસે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવત પહેલાથી જ ચેન્નઈમાં છે. તેઓ બે દિવસના ચેન્નઈ પ્રવાસે છે. આજે સવારે તેમણે પોન્નિયમાનેડુ સ્થિત શ્રી કાદુંબડી ચિન્નામન મંદિરમાં પોંગલ પ્રાર્થના કરી છે. તે સિવાય ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ આજે તમિલનાડુના પ્રવાસે છે. તેઓ ચેન્નઈમાં નમ્મા ઓરૂ પોંગલ કાર્યક્રમમાં હાજર થશે. Tamil Nadu Election Preparation
રાહુલ ગાંધીએ આજે મદુરૈમાં જલ્લીકટ્ટુ કાર્યક્રમમાં હાજરી આપી. રાહુલ ગાંધીએ જણાવ્યું કે તમિલ કલ્ચરને નિહાળવું શાનદાર અનુભવ રહ્યું. મને ખુશી છે કે જલ્લીકટ્ટૂનું વ્યવસ્થિત અને સુરક્ષિત રીતે આયોજન કરવામાં આવી રહ્યુ છે, જેમાં તમામ સુરક્ષિત છે અને તમામની સારસંભાળ લેવામાં આવી રહી છે. પોંગલના અવસરે આયોજિત આ કાર્યક્રમમાં રાહુલ ગાંધી સાથે દ્રમુકના યુવા જૂથના સચિવ ઉદયનિધિ સ્ટાલિન, કોંગ્રેસના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ, પ્રદેશ કોંગ્રેસ કમેટીના અધ્યક્ષ કેએલ અલાગિરી અને પોંડિચેરીના મુખ્યમંત્રી વી નારાયણસામી પણ ઉપસ્થિત હતા. Tamil Nadu Election Preparation
આ પણ વાંચો: ‘હું પંજાબ અને ખેડૂતો સાથે’, SCની કમિટીમાંથી ભૂપિંદર સિંહે નામ પરત ખેચ્યુ
ઉલ્લેખનીય છે કે આ વર્ષે એપ્રિલ-મે મહિનામાં યોજાનારી તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં દ્રમુક અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની સંભાવના છે. તાજેતરમાં જ રાહુલ ગાંધી ખાનગી પ્રવાસે વિદેશ ગયા હતા અને હવે તેઓ પરત ફર્યા છે. વિદેશથી પરત ફર્યા બાદ તેઓ પ્રથમ વખત કોઈ સાર્વજનિક કાર્યક્રમાં હાજર થયા છે. જ્યારે ભાજપ પણ આ ચૂંટણી મેદાનમાં મજબૂત દાવેદારી સાથે આવવા માંગે છે, જેથી રાજ્યમાં સત્તા પર આવી શકે છે. Tamil Nadu Election Preparation
જોકે ભાજપે ચૂંટણીમાં પોતાના રાજકીય સાથી અંગે કોઈ જાહેરાત કરી નથી. 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપે AIADMK સાથે ગઠબંધન કર્યું હતુ.