ગુજરાતમાં બીજેપીને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદ પછી રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રેસ કોન્ફ્રન્સ યોજીને લોકોને શુભેચ્છા પાઠવીને આભાર માન્યો હતો. આ દરમિયાન શપથવિધિ કાર્યક્રમ અંગે પણ જાણકારી આપવામાં આવી હતી. એક વખત ફરીથી પીએમ મોદી ભારતીય જનતા પાર્ટીના તમામ જીતેલા ઉમેદવારોને શુભેચ્છા પાઠવવા માટે ગુજરાત આવી રહ્યાં છે. પીએમ મોદીની હાજરીમાં જ શપથવિધિ કાર્યક્રમનું આયોજન થવાનું છે.
Advertisement
Advertisement
12 ડિસેમ્બરે ગુજરાતની નવી સરકારની શપથવિધિ કાર્યક્રમ યોજાશે. પીએમ મોદી આ દરમિયાન હાજર રહેશે. ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે શપથવિધિ કાર્યક્રમ યોજાશે. ભૂપેન્દ્ર પટેલે કહ્યુ કે ગુજરાતના લોકોને પીએમ મોદી પર વિશ્વાસ છે.
Advertisement