ગાંધીનગર: સુરત પૂર્વના આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલા પરિવાર સાથે લાપતા થયાના આરોપ બાદ નવો વળાંક આવ્યો છે. કંચન જરીવાલાએ અંતિમ ઘડીએ પોતાનું ફોર્મ પરત ખેચી લીધુ છે. કંચન જરીવાલાએ ફોર્મ પરત ખેચ્યા બાદ ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર પ્રહાર કર્યા હતા.
Advertisement
Advertisement
ગોપાલ ઇટાલિયાએ કહ્યુ કે, 100 જેટલા ગુંડા અને 100 જેટલા પોલીસ કર્મીઓની હાજરીમાં કંચન જરીવાલા પર દબાણ અને ત્રાસ આપીને ફોર્મ પરત ખેચી લેવામાં આવ્યુ હતુ. લીગલ ટીમનો અભિપ્રાય લઇ રહ્યા છીએ અને તેમના સૂચન પર અમે આગળ વધીશુ.
આ પહેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા એક ઉમેદવારના અપહરણની આશંકા વ્યક્ત કરી હતી. કેજરીવાલે ભાજપ પર આરોપ લગાવતા કહ્યુ કે સૂરતના આપ ઉમેદવાર કંચન જરીવાલા પરિવાર સહિત લાપતા છે. શું તેમનું અપહરણ કરવામાં આવ્યું છે?
દિલ્હીના મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને કહ્યુ, “સૂરત (પૂર્વ)ના અમારા ઉમેદવાર કંચન જરીવાલા અને તેમનો પરિવાર કાલથી ગાયબ છે. પહેલા ભાજપે તેમનું ઉમેદવારી પત્ર રદ કરાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમનું ઉમેદવારી પત્ર સ્વીકાર કરી લેવામાં આવ્યુ હતુ. બાદમાં તેમની પર ઉમેદવારી પરત લેવાનું દબાણ બનાવવામાં આવી રહ્યુ હતુ. શું તેમનું અપહરણ કરવામાં આવ્યું છે?
AAPએ ભાજપ પર લગાવ્યો આરોપ
આમ આદમી પાર્ટીના સાંસદ અને ગુજરાતના સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢાએ એક પત્રકાર પરિષદને સંબોધન કરતા કહ્યુ હતુ કે, “લોકતંત્રની હત્યા, સૂરત પૂર્વ બેઠક પરથી અમારા ઉમેદવાર કંચન જરીવાલાનું ભાજપે અપહરણ કરી લીધુ છે. પહેલા ભાજપે તેમનું નોમિનેશન પત્ર રદ કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો પછી તેમણે ઉમેદવારી પરત લેવા માટે મજબૂર કર્યા અને હવે તેમનું અપહરણ કરવામાં આવ્યુ. તે કાલ બપોરથી ગાયબ છે.”
આ પણ વાંચો: ભાજપ,કોંગ્રેસ કે AAP, ગુજરાતમાં મુસ્લિમોને ટિકિટ આપવામાં રાજકીય દળ પાછળ કેમ
ઇશુદાન ગઢવીએ પણ કર્યુ ટ્વીટ
ગુજરાતમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ઉમેદવાર ઇશુદાન ગઢવીએ ટ્વીટ કરીને લખ્યુ, ભાજપ આમ આદમી પાર્ટીથી એટલી ડરેલી છે કે તે ગુંડાગર્દી પર ઉતરી આવી છે. સૂરત ઇસ્ટથી ચૂંટણી લડી રહેલા અમારા કંચન જરિવાલા પાછળ ભાજપ કેટલાક દિવસથી પડેલી છે અને આજે તે ગાયબ છે. માનવામાં આવી રહ્યુ છે કે ભાજપના ગુંડા તેમણે ઉઠાવીને લઇ ગયા છે, તેમનો પરિવાર પણ ગાયબ છે.
ભાજપ ઉમેદવારોનું અપહરણ કરી રહી છે
આમ આદમી પાર્ટીના સીનિયર નેતા સંજય સિંહે ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે અને લખ્યુ, ગુજરાતમાં ચૂંટણી યોજાઇ રહી છે અથવા લોકતંત્રનું ખુલ્લેઆમ ગળુ દબાવવામાં આવી રહ્યુ છે. સૂરત પૂર્વના ઉમેદવાર કંચન જરીવાલા કાલથી ગાયબ છે. વીડિયોમાં હાજર લોકો ભાજપના છે. તેમની પર કાર્યવાહી કરીને ઉમેદવારને શોધી શકાય છે. ભાજપ ચૂંટણી પહેલા હાર માની ચુકી છે. હવે ઉમેદવારોનું અપહરણ કરી રહી છે.
Advertisement