નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા લોકોને 10 ટકા અનામતની જોગવાઇને યથાવત રાખી છે. 5 જજની બેંચમાંથી ચાર જજોએ બંધારણના 103માં સંશોધન અધિનિયમ 2019ને યોગ્ય માન્યો છે. સુપ્રીમ કોર્ટમાં તેને મોદી સરકારની મોટી જીત માનવામાં આવી રહી છે.
Advertisement
Advertisement
કેન્દ્ર સરકારે બંધારણમાં સંશોધન કરીને સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા લોકો માટે 10 ટકા અનામતની જોગવાઇ કરી હતી. અનામતની જોગવાઇ કરનારા 103માં બંધારણીય સંશોધનને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપવામાં આવ્યો હતો. 5 જજની બેંચમાંથી ચાર જજોએ EWS અનામતના સમર્થનમાં નિર્ણય સંભળાવ્યો હતો. જ્યારે જસ્ટિસ રવિંદ્ર ભટ્ટે EWS અનામત પર અસહમતિ દર્શાવી હતી.
આ ત્રણ જજોએ સમર્થનમાં નિર્ણય સંભળાવ્યો
જસ્ટિસ દિનેશ માહેશ્વરી, જસ્ટિસ બેલા ત્રિવેદી અને જસ્ટિસ જેબી પારડીવાલાએ EWS અનામતના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. જસ્ટિસ દિનેશ માહેશ્વરીએ પોતાના વિચાર રજૂ કરતા કહ્યુ કે સવાલ મોટો આ હતો કે શું EWS અનામત બંધારણની મૂળ ભાવના વિરૂદ્ધ છે. શું તેનાથી SC/ST/OBCને બહાર રાખવુ મૂળ ભાવના વિરૂદ્ધ છે, તેમણે કહ્યુ કે EWS કોટા બંધારણનું ઉલ્લંઘન નથી કરતુ. EWS અનામત યોગ્ય છે. આ બંધારણની કોઇ જોગવાઇનું ઉલ્લંઘન નથી કરતુ. આ ભારતના બંધારણના પાયાના ઢાંચાનું ઉલ્લંઘન નથી કરતુ. જસ્ટિસ બેલા ત્રિવેદીએ કહ્યુ, મે જસ્ટિસ દિનેશ માહેશ્વરીના વિચાર પર સમહતિ વ્યક્ત કરી છે. જસ્ટિસ પારડીવાલાએ કહ્યુ કે અનામત કોઇ અંતિમ સીમારેખા નથી, આ તો શરૂઆત છે બધાને સમાન બનાવવાની.
EWS આરક્ષણ શું છે?
ઇકૉનોમિકલ વીકર સેક્શન (EWS) હેઠળ આર્થિક રીતે નબળા લોકોને સરકારી નોકરીથી લઇને શિક્ષણ સંસ્થામાં 10 ટકા અનામત આપવાની જોગવાઇ છે. જેની હેઠળ માત્ર જનરલ કેટેગરીના ગરીબ લોકોને અનામત આપવામાં આવશે.
-
જે એસસી, એસટી, ઓબીસી નથી
-
જેમની વાર્ષિક આવક 8 લાખ કરતા ઓછી છે
-
ગામ છે તો તેની પાસે 5 એકરથી ઓછી ખેતીની જમીન છે અથવા 1000 વર્ગ ફૂટનું મકાન છે
-
જે પરિવાર પાસે અધિસૂચિત નિગમમાં 100 વર્ગ ગજ અથવા ગેર અધિસૂચિત નિગમમાં 200 વર્ગગજ પ્લૉટનો પ્લૉટ છે.
Advertisement