શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ટેકનોલોજી રીસર્ચ એન્ડ મેનેજમેન્ટના (આઇઆઇટી-રામ) વિવિધ ડિપાર્ટમેન્ટના સ્ટુડન્ટ્સ દ્વારા પોતાની પાસે રહેલા જ્ઞાનને વધારે વિદ્યાર્થીઓ સુધી લઇ જવા માટે ‘દાયિત્વ’ ગૃપની શરૂઆત કરી અને પોતાની વિસ્તારની શાળામાં જઇને શિક્ષણ આપવાની શરૂઆત કરી છે. આ વિશે દાયિત્વ ગૃપના મેમ્બર મૈત્રી કિરણે કહ્યું કે, અમારા એલ્યુમિનાઇ સ્ટુડન્ટ્સ દ્વારા આ ગૃપની શરૂઆત કરવામાં આવી હતી અને તે રીતે અમે પણ ધોરણ ૯ અને ૧૦ના વિદ્યાર્થીઓને ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષયનું જ્ઞાન આપીએ છીએ. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ટયુશન કે પૂરતા પુસ્તકો ન હોવાથી સારો અભ્યાસ કરી શકતા નથી ત્યારે આ વિદ્યાર્થીઓના સાથી મિત્ર બનીને તેમને શિક્ષણમાં અવલ્લ બનાવવાનો નિર્ધાર કર્યો છે. દાયિત્વ ગ્રૂપના સભ્યોને અમે જે તે વિષયનું બેઝિક નોલેજ આપીએ છીએ જેથી વિદ્યાર્થીઓ સામે સારી રીતે અભ્યાસ કરાવી શકે છે. ત્રણ ર્વિદ્યાર્થીઓના ગૃપ પ્રમાણે નિયમિત કે પછી શનિવાર અને રવિવારના દિવસે અમે અભ્યાસ કરાવીએ છીએ. વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવ્યા પછી પરીક્ષામાં સારું પરિણામ આવે છે જેનાથી અમને ઘણો આનંદ મળે છે. અમે જે શાળામાં અભ્યાસ કરાવ્યો છે જેમાંથી ધોરણ ૧૦માં સારા માર્ક્સ મેળવીને એન્જિનિયરિંગ, કોલેજ કે પછી પ્રોફેશનલ કોર્સમાં પણ અભ્યાસ કરી રહ્યા છે. કોરોનાના સમયમાં અમારા ગૃપ દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઇન સ્ટડીથી રાષ્ટ્રીય પ્રતિભા શોધ પરીક્ષાની તૈયારી કરાવી હતી સાથે જેમાં પાસ થયેલા વિદ્યાર્થીઓને ગવર્નમેન્ટ દ્વારા શિષ્યવૃત્તિનો લાભ આપવામાં આવ્યો હતો. અમુક સમયે દ્યિાર્થીના ઘરની મુલાકાત પણ લઇને પરિવારને સમજાવીને વધુ અભ્યાસ કરાવવાની પ્રેરણા આપીએ છીએ.
Advertisement
Advertisement
Advertisement