સુપ્રીમ કોર્ટ બિલકિસ બાનો કેસની સુનાવણી માટે વિશેષ બેંચની રચના કરવા માટે સંમત થઈ છે. કોર્ટે કહ્યું કે બિલ્કીસ બાનો કેસની સુનાવણી માટે ટૂંક સમયમાં એક વિશેષ બેંચની રચના કરવામાં આવશે.
Advertisement
Advertisement
બિલ્કીસ બાનોએ પોતાના વકીલ શોભા ગુપ્તા દ્વારા આ કેસમાં અરજી દાખલ કરતી વખતે 11 દોષિતોને છોડાવવાને પડકાર ફેંક્યો હતો.
આ અંગે સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડૉ.ડી.વાય.ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું કે તેઓ આ માટે વિશેષ બેંચની રચના કરશે.
બેન્ચે કહ્યું કે તેઓ આગામી સમયમાં વિશેષ બેંચની રચના કરશે.
બીબીસી સાથે વાત કરતા શોભા ગુપ્તાએ કહ્યું કે આ ખૂબ જ સંવેદનશીલ મામલો છે, કારણ કે તે કોઈના જીવન અને સ્વતંત્રતાની વાત કરે છે. 15 ઓગસ્ટના રોજ, ગુજરાત સરકારે માફી નીતિ હેઠળ આજીવન કેદની સજા ભોગવી રહેલા 11 દોષિતોને મુક્ત કર્યા હતા.
શું છે મામલો?
2002ના ગુજરાત રમખાણો દરમિયાન બિલ્કિસ બાનો જે પાંચ મહિનાની ગર્ભવતી હતી, તેના પર અમદાવાદ નજીકના રણધિકપુર ગામમાં ટોળાએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો.
તેમની ત્રણ વર્ષની પુત્રી સાલેહાની પણ નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી.
21 જાન્યુઆરી, 2008ના રોજ મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે બિલ્કીસ બાનો પર ગેંગરેપ અને પરિવારના સાત સભ્યોની હત્યાના કેસમાં 11 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી.
બોમ્બે હાઈકોર્ટે દોષિતોની સજા યથાવત રાખી હતી.
15 વર્ષથી વધુ જેલવાસ ભોગવ્યા બાદ દોષિતોમાંથી એક રાધેશ્યામ શાહે માફી માંગવા માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.
સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને માફીના મુદ્દા પર ધ્યાન આપવાનો નિર્દેશ આપ્યો હતો.
Advertisement