નવી દિલ્હી: રાજસ્થાન (Rajasthan)ના મુખ્યમંત્રી અશોક ગહેલોતે (Ashok Gehlot) આજે કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે. સાથે તેમને તે પણ કહ્યું કે હું રાજસ્થાનનો સીએમ રહીશ કે નહીં તે પમ સોનિયા ગાંધી નક્કી કરશે. તેમને કહ્યું કે, રાજસ્થાનમાં બે દિવસ પહેલા જે કંઈ પણ થયું તેના માટે મેં સોનિયા ગાંધીથી માંફી માંગી છે. હું રાજસ્થાનનો મુખ્યમંત્રી છું તેથી મારી નૈતિકતાના આધાર પર માફી માંગી છે. જોકે, રાજસ્થાનમાં જે કંઈ પણ થયું છે તેમાં મારો કોઈ જ હાથ નથી.
Advertisement
Advertisement
જણાવી દઈએ કે અશોક ગહેલોતે સોનિયા ગાંધી મુલાકાત કરી હતી. તે પછી તેમને મીડિયા સામે આવીને સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ અધ્યક્ષ પદની ચૂંટણી લડશે નહીં. તેમને કહ્યું કે હું એક લાઈનનો પ્રસ્તાવ પાસ કરાવી શક્યો નહીં તે મારી નિષ્ફળતા છે. હું રાજસ્થાનની ઘટના માટે સોનિયા ગાંધી પાસે માંફી માંગી છે.
ગહેલોતે આગળ કહ્યું કે, રાજસ્થાનમાં બે દિવસ પહેલા જે થયું તેને મને જંજોળીને રાખી દીધો છે. પાછલા 50 વર્ષમાં રાજીવ જીથી લઈને સોનિયા ગાંધી સુધી મેં વફાદાર સિપાહીના રૂપમાં કામ કર્યું છે. હું રાજસ્થાનનો મુખ્યમંત્રી છું, એવામાં જવાબદારી લઈને મેં માફી માંગી છે. જોકે, હું તે કામમાં સામેલ નથી. મીડિયા અનેક વખત પોતાના હિસાબથી લખે છે, જ્યારે અસલી વાત કંઈક બીજી હોય છે.
Advertisement