નવી દિલ્હી: લિવ-ઇન-પાર્ટનર શ્રદ્ધા વાલકરની હત્યા કરવા અને તેના શરીરના ટુકડે-ટુકડા કરનારા આરોપી આફતાબ પૂનાવાલાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે. કોર્ટે તેની પરવાનગી આપી છે. કોર્ટે આફતાબની પોલીસ કસ્ટડીમાં પાંચ દિવસ વધારી દીધી છે. આ દરમિયાન વકીલોએ કોર્ટમાં વિરોધ પ્રદર્શન કર્યુ હતુ અને તેને ફાંસી આપવાની માંગ કરી છે.
Advertisement
Advertisement
મહત્વપૂર્ણ છે કે દિલ્હી પોલીસે કહ્યુ હતુ કે આફતાબને કોર્ટમાં લાવવો તેની સુરક્ષા ખતરામાં હોઇ શકે છે. તે બાદ કોર્ટે તેને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી હાજર કરવાની પરવાનગી આપી હતી. શ્રદ્ધા હત્યાકાંડમાં પોલીસ તપાસમાં થઇ રહેલા ખુલાસા બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
આફતાબને ફિઝિકલી કોર્ટમાં હાજર કરવાની આશામાં મોટી સંખ્યામાં વકીલોનું ગ્રુપ કોર્ટ રૂમની બહાર ભેગુ થઇ ગયુ હતુ. આ આરોપીને ફાંસી આપવાના નારા લગાવી રહ્યા હતા. શ્રદ્ધા હત્યાકાંડના આરોપી આફતાબે પોલીસ સામે ચોકાવનારા ખુલાસા કર્યા છે. જાણકારી અનુસાર આરોપીએ શ્રદ્ધાના ટુકડા કર્યા બાદ તેની ઓળખ છુપાવવા માટે ચહેરાને સળગાવી દીધો હતો. પૂછપરછમાં તેને જણાવ્યુ કે આ બધી જાણકારી તેને ઇન્ટરનેટ દ્વારા મળી હતી. સૂત્રો અનુસાર શ્રદ્ધાના કપડા જે ગાડીમાં ફેકવામાં આવ્યા હતા, તેની ઓળખ પોલીસે કરી લીધી છે. પોલીસે બે એવા સ્પૉટ શોધ્યા છે જ્યા કચરો ફેકવામાં આવતો હતો, તે સ્પૉટ પર સર્ચ ઓપરેશન ચાલુ છે.
દિલ્હી પોલીસના સૂત્રોએ જણાવ્યુ કે ખાસ કરીને પોલીસ લોહીના દાગા શોધવા માટે ક્રાઇમ સીન પર બેન્ઝીન નામનું કેમિકલ ફેકે છે, જેનાથી જ્યા પણ લોહી પડેલુ હોય છે, તે જગ્યા લાલ થઇ જાય છે. આફતાબે ક્યા કેમિકલથી ઘરને સાફ કર્યુ કે બેન્ઝીનથી પણ લોહીના દાગાની જગ્યા મળતી નહતી. મુશ્કેલથી કિચનના લોઅર સેલ્ફમાં જ્યા ગેસ સિલિન્ડર રાખવામાં આવે છે ત્યા લોહીના દાગા મળ્યા છે.
આફતાબ એટલો શાતિર છે કે તેને પથારી પર કોઇ પુરાવા છોડયા નથી. આફતાબે શ્રદ્ધાના શબના 35 ટુકડાને 18 પોલિથીન બેગમાં બાંધીને ફ્રિઝમાં રાખ્યા હતા. શબના ટુકડા સાથે તે તમામ પોલિથીન તેને સજા આપવા માટે જરૂરી છે. જોકે, શરીરના તમામ ટુકડા મળ્યા છે અને ના તો ફ્રીઝમાંથી લોહીના દાગા મળ્યા છે. બેન્ઝીન ટેસ્ટ કરવા પર પણ ફ્રિઝમાં લોહીના દાગ મળ્યા નથી. પોલીસ અને ફોરેન્સિક ટીમ પણ ચોકી ગઇ છે કે અંતે તેને કેટલી શાતિર રીતે હત્યાને અંજામ આપ્યો છે.
Advertisement