નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ પદના ઉમેદવાર શશિ થરૂરે કહ્યુ કે મને વિશ્વાસ છે કે જે લોકો કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં એક તરફી જીતની આશા કરી રહ્યા છે, તેના પરિણામ જોઇને ચોકી જશે. શશિ થરૂરે કહ્યુ કે જેવુ 1997 અને 2000ની ચૂંટણીમાં યોજાઇ હતી, તે રીતના મતની ગણતરી સમયના પરિણામ ચોકાવનારા હશે, તેમણે જણાવ્યુ કે 1997માં સીતારામ કેસરી જેમણે શરદ પવાર અને રાજેશ પાયલટ સાથે ત્રિકોણીય મુકાબલામાં ભારે અંતરથી જીત મેળવી હતી. બીજી તરફ 2000માં સોનિયા ગાંધીના હાથે જિતેન્દ્ર પ્રસાદને હારનો સામનો કરવો પડ્યો હતો.
Advertisement
Advertisement
સાંસદે આગળ કહ્યુ કે કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણીમાં હું જીતુ કે ખડગે પરંતુ જીત માત્ર કોંગ્રેસની મહત્વ રાખે છે. મારો ઉદ્દેશ્ય 2024 માટે કોંગ્રેસને મજબૂત કરવાનો છે.
મલ્લિકાર્જૂન ખડગેનું સમર્થન કરવા કહેવામાં આવી રહ્યુ છે
શશિ થરૂરે દાવો કર્યો કે કેટલાક વોટર્સને તેમના નેતાઓએ મારા વિરોધીનું સમર્થન કરવાના આદેશ આપ્યા છે. જોકે, તેમણે કહ્યુ કે અંતિમ સમયમાં ગુપ્ત મતદાન દરમિયાન તે મને વોટ આપી શકે છે. થરૂર સામે મલ્લિકાર્જુન ખડગે મેદાનમાં છે, તેમણે ગાંધી પરિવારની નજીકના હોવાને કારણે અધ્યક્ષ પદ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે.
શશિ થરૂરને પૂછવામાં આવ્યુ કે શું કેટલાક નેતા સીનિયર નેતાઓના ડરથી તેમનું સમર્થન કરી શકતા નથી, જેની પર થરૂરે કહ્યુ, હું નિશ્ચિત રીતે જાણુ છુ કે કેટલાક લોકો જેમણે આ રીતના કારણોથી અત્યાર સુધી ખુલ્લી રીતે મારૂ સમર્થન કર્યુ નથી, મારા કેટલાક અભિયાન કાર્યક્રમમાં પણ સામેલ થયા નહતા, તેમણે અંગત રીતે મારૂ સમર્થન કરવા કહ્યુ છે.
મને અને ખડગેને ગાંધી પરિવારનો આશીર્વાદ
કોંગ્રેસ અધ્યક્ષ પદના ઉમેદવાર શશિ થરૂરે કહ્યુ, ગાંધી પરિવાર સાથે મારી વાતચીતે મને વિશ્વાસ અપાવ્યો કે મારા અથવા ખડગે પ્રત્યે તેમનો કોઇ પૂર્વાગ્રહ નથી. મને અને ખડગેને ગાંધી પરિવારનો આશીર્વાદ મળી રહ્યો છે. થરૂરે કહ્યુ કે ભાજપે વિપક્ષનો ભાગ બનવાની તૈયારી શરૂ કરી દેવી જોઇએ, કારણ કે 2024ની ચૂંટણી બાદ તેમણે ત્યા જ બેસવુ પડશે. થરૂરે કહ્યુ- અમારી પાર્ટીને બદલાવની જરૂરત છે અને મને લાગે છે કે હું તે બદલાવનો ચહેરો બનીશ.
અમારા કામ કરવાની રીત અલગ
આ પહેલા શશિ થરૂરે કહ્યુ હતુ કે મલ્લિકાર્જૂન ખડગે અને હું મિત્ર છીએ. અમારી વચ્ચે માત્ર કામ કરવાની રીતનું અંતર છે. હું બદલાવનો દૂત બનવા માંગુ છુ. કેટલાક લોકો કહી રહ્યા છે કે એક ઓફિશિયલ કેન્ડિડેટ છે અને હું કઇ નથી પરંતુ ગાંધી પરિવાર નિષ્પક્ષ છે. અમે કોંગ્રેસ પાર્ટી સાથે મજબૂતીથી ઉભા છીએ. જો કોઇ કહે છે કે પ્રતિનિધિ માત્ર એક જ વ્યક્તિને વોટ કરશે તો આ બિલકુલ સાચુ નથી.
આ પણ વાંચો: ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેને અલગ અલગ નામ ફાળવ્યા
17 ઓક્ટોબરે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી
કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે 17 ઓક્ટોબરે ચૂંટણી યોજાવાની છે. નોમિનેશનના અંતિમ દિવસે શશિ થરૂર અને મલ્લિકાર્જૂન ખડગેએ ઉમેદવારી નોંધાવી હતી. આ બન્ને નેતાઓ સિવાય ઝારખંડના કોંગ્રેસ નેતા કેએન ત્રિપાઠીએ પણ ઉમેદવારી નોંધાવી હતી પરંતુ તેમનું નોમિનેશન રદ થઇ ગયુ હતુ. આ પહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહના પણ કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી લડવાની સંભાવના હતી.
Advertisement