શ્રીનગર: સુરક્ષાદળોએ પોતાના આતંક વિરોધી અભિયાનને ચાલુ રાખતા દક્ષિણ કાશ્મીરના થાજીવારા અનંતનાગમાં અંસાર ગજવાત ઉલ હિંદના બે આતંકીને ઠાર માર્યા હતા. આ સાથે જ ગત 24 કલાક દરમિયાન દક્ષિણ કાશ્મીરમાં સુરક્ષાદળો સાથે વિવિધ અથડામણમાં માર્યા ગયા હતા, આતંકીઓની સંખ્યા ચાર થઇ ગઇ છે. આ વચ્ચે શોપિયાંમાં સુરક્ષાદળોએ લશ્કર-એ-તૈયબાના હિટ સ્કવોર્ડ ધ રેજિસ્ટ્રેંસ ફ્રંટના બે આતંકીઓને પણ હથિયાર સાથે ધરપકડ કરવાનો દાવો કર્યો છે.
Advertisement
Advertisement
સુરક્ષાદળોએ આજે એક વિશેષ સૂચનાના આધાર પર અનંતનાગના થાજીવારા, બીજબેહાડામાં એક અભિયાન શરૂ કર્યુ હતુ. જવાનોએ ઘેરાબંધી કરતા થાજીવારામાં આવવા જવાના કેટલાક રસ્તા પર નાકાબંધી કરી હતી. એવામાં એક નાકા પર તૈનાત જવાનોએ મોટર સાઇકલ પર બે શંકાસ્પદને જોઇને તેમણે ઉભા રહેવા કહ્યુ હતુ. મોટર સાઇકલ પર આવેલા બન્ને યુવક આતંકી હતા, તેમણે નાકાબંધી જોઇને બાઇકને પરત ફેરવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. નાકા પર તૈનાત જવાનોએ તેમણે ભાગતા જોઇને લલકાર્યા હતા અને તેમણે પીછો કર્યો હતો. જેની પર આતંકીઓએ મોટર સાઇકલ છોડી અને નજીકના ખેતર તરફ ભાગવા લાગ્યા હતા, તેમણે જવાનોને પાછળ આવતા જોઇને તેમણે ફાયરિંગ કર્યુ હતુ. જવાનોએ ખુદને બચાવતા જવાબી ફાયર કર્યુ હતુ અને થોડી વારમાં બન્ને આતંકીઓને ઠાર માર્યા હતા.
માર્યા ગયેલા બન્ને આતંકી અલ કાયદા સાથે સબંધીત સંગઠન અંસાર ગજવાતુલ હિંદ સાથે જોડાયેલા હતા. સ્વતંત્રતા દિવસના ત્રણ દિવસ પહેલા 12 ઓગસ્ટે તેમણે દારાશિકોહ બાગ બીજબેહાડા પાસે પોલીસ દળ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં પણ એક પોલીસ કર્મી ઘાયલ થયો હતો. આ બન્ને આતંકીઓએ જ 15 જૂન 2022માં પાદશાહીબાગમાં સુરક્ષાદળો પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો.
Advertisement