નવી દિલ્હી: તુર્કીમાં આવેલા ભૂકંપ પછી વિશ્વભરના વૈજ્ઞાનિક ભવિષ્ય માટે આશંકા વ્યક્ત કરી રહ્યા છે. ભારતમાં પણ વાડિયા હિમાલય ભૂવિજ્ઞાન સંસ્થાના વૈજ્ઞાનીકોએ હિમાલયમાં 20 એવા વિસ્તારનું અનુમાન લગાવ્યું છે, કે ક્યારેય પણ 8 કે તેથી વધુ રિક્ટર સ્કેલનો ભૂકંપ આવી શકે છે. મહત્વપૂર્ણ છે કે 5 કે તેથી વધુ તીવ્રતાના ભૂકંપથી અહી બિલ્ડિંગ હલી જાય છે. એવામાં જો 8ની તીવ્રતાનો ભૂકંપ આવે તો તેનાથી થતા નુકસાનની કલ્પના પણ આપણે કરી શકતા નથી. તુર્કીમાં આવેલા ભૂકંપની તીવ્રતા 7.9ની હતી.
Advertisement
Advertisement
સંસ્થાના સીનિયર વૈજ્ઞાની ડૉક્ટર આરજે પેરૂમલ અનુસાર આશરે 2000 કિલોમીટર લાંબા હિમાલયી વિસ્તારમાં મોટા ભૂકંપની આશંકા ધરાવતા 20 અને ભારતમાં અડધા ડઝનથી વધુ વિસ્તાર હોઇ શકે છે.
ઉત્તરાખંડના રામનગર, હિમાચલ પ્રદેશના કાંગડા અને આસામ વિસ્તારમાં આવા ભૂકંપની આશંકા વધારે છે, તેનું કારણ આ વિસ્તારની ધરતી નીચે ચાલી રહેલા તણાવ છતા ઉર્જાનું બહાર ના નીકળવાનું છે. ડૉક્ટર પેરૂમલનું કહેવુ છે કે રામનગર વિસ્તારમાં વર્ષ 1255માં આઠથી નવ રિક્ટરનો ભૂકંપ આવ્યો હતો. તે પછી અહી કોઇ મોટો ભૂકંપ આવ્યો નથી.
આ રીતે ભૂગર્ભીય સંરચના ધરાવતા નેપાળમાં વર્ષ 1255માં શક્તિશાળી ભૂકંપ (8.0થી 9.0)ની તીવ્રતાનો આવ્યો હતો. તે પછી 1831,1934 અને 2015માં ભૂકંપ આવી ચુક્યો છે. એક જ માઇક્રો સેસ્મેસિટી બેલ્ટમાં પડનારા હિમાચલના કાંગડામાં પણ 1905માં ભૂકંપ (7.8 રિક્ટર સ્કેલ) પછી કોઇ ભૂકંપ આવ્યો નથી.
સેન્ટ્ર્લ નેપાળ અને દેશના આસામ પ્રાંત પણ એક બેલ્ટમાં આવે છએ. અહી ઓછા સમયમાં નાના ભૂકંપની સાથે જ મોટા ભૂકંપ પણ આવે છે. નેપાળમાં વર્ષ 1255ના ભૂકંપને છોડીને છેલ્લા ત્રણ મોટા ભૂકંપનો સમય 51થી 81 વર્ષ વચ્ચે રહ્યો છે અને આ રૂટના આસામમાં છેલ્લા 2 મોટા ભૂકંપ 51થી 81 વર્ષ વચ્ચે આવ્યા છે.
કેમ આવે છે ભૂકંપ
ભૂકંપ કેમ આવે છે તેનો જવાબ જાણવા માટે સૌથી પહેલા તમારે ધરતીની સંરચનાને સમજવી પડશે. આખી ધરતી 12 ટેકટોનિક પ્લેટો પર સ્થિત છે. આ ટેકટોનિક પ્લેટોની નીચે લાવા હાજર છે. આ 12 પ્લેટ આ લાવા પર તરે છે. જ્યારે લાવા આ પ્લેટો સાથે ટકરાય છે તો ઉર્જા નીકળે છે અને તેને ભૂકંપ કહીએ છીએ.
આ રીતે પણ સમજી શકો છો કો પૃથ્વીની સૌથી બહારની સપાટી જે 12 પ્લેટમાં વિભાજિત છે. આ પ્લેટ સતત શિફ્ટ થતી રહે છે. શિફ્ટ થતા સમયે ક્યારેક-ક્યારેક આ પ્લેટ એક બીજા સાથે ટકરાય છે, જેનાથી ભૂકંપનો અનુભવ થાય છે, તેનાથી જમીન પણ ખસે છે.
કરોડો વર્ષ પહેલા ભારત એશિયાની નજીક નહતુ પરંતુ જમીન પર આવેલા ભૂકંપને કારણે જ ભારત દર વર્ષે આશરે 47 મિલીમીટર ખસકીને મધ્ય એશિયા તરફ વધી રહ્યુ છે. આશરે સાડા પાંચ કરોડ વર્ષ પહેલા એક ટક્કર એટલી જોરદાર હતી કે હિમાલયનું નિર્માણ થયુ.
તે સમયે ભારત એક મોટો ટાપુ હતો. આ ટાપુ દરિયામાં 6,000 કિલોમીટર કરતા વધુ દૂર સુધી તરતો યૂરેશિયા ટેકટૉનિક પ્લેટ સાથે ટકરાયો અને હિમાલયનું નિર્માણ થયુ. હિમાલય દુનિયાની સૌથી નાની ઉંમરની પર્વત શ્રેણી છે.
વૈજ્ઞાનિકોના અંદાજ અનુસાર ભૂગર્ભીય બદલાવને કારણે જ હિમાલય વિસ્તાર ભૂકંપ પ્રત્યે અતિ સંવેદનશીલ બનતુ જઇ રહ્યુ છે, આ કારણે બન્ને પ્લેટ એક બીજા પર સતત ભાર નાખી રહી છે, તેને કારણે આ વિસ્તારમાં અસ્થિરતા બનેલી છે પરંતુ સવાલ ઉભો થાય છે કે અંતે હિમાલય વિસ્તારની ધરતીની પ્લેટો સ્થિર કેમ નથી થઇ રહી?
જેનો જવાબ જાણવા માટે ‘અંડરવર્લ્ડ કોડ’ નામના સૉફ્ટવેર દ્વારા કરોડો વર્ષ પહેલા થયેલી તે ટક્કરને સમજવાનો પ્રયાસ હજુ પણ ચાલુ જ છે.
કઇ રીતે કામ કરે છે આ સૉફ્ટવેર
‘અંડરવર્લ્ડ કોડ’ નામનું સૉફ્ટવેર આંકડા પર કામ કરે છે. આ સૉફ્ટવેરમાં આંકડા ભરીને એમ જોવામાં આવે છે કે ટક્કર પહેલા અને તે પછીની સ્થિતિમાં કઇ રીતનો બદલાવ થયો. એવુ પણ જોવામાં આવી રહ્યુ છે કે તે બદલાવ ભૌતિક રીતે કેટલુ તાકાતવર હતુ. ‘અંડરવર્લ્ડ કોડ’થી અત્યાર સુધી એવી ખબર પડી છે કે ભારતીય પ્લેટની સપાટીનું ઘનત્વ, અંદર જમીનથી વધારે છે, જેને કારણે ભારત મધ્ય એશિયા તરફ વધી રહ્યુ છે.
ભૂકંપના ખતરાના હિસાબથી ભારત ચાર ભાગમાં વિભાજિત
ભૂકંપના ખતરાના હિસાબથી ભારતને ચાર ભાગમાં વહેચવામાં આવ્યું છે. પ્રથમ ઉત્તરાખંડ, બીજુ કાશ્મીરનું શ્રીનગર ધરાવતો વિસ્તાર, ત્રીજુ હિમાચલ પ્રદેશ અને ચોથો બિહારનો કેટલોક ભાગ. બીજી તરફ ગુજરાતના કચ્છ અને પૂર્વોત્તરના છ રાજ્ય અતિસંવેદનશીલની કેટેગરીમાં આવે છે. તેમણે પાંચ ઝોનમાં રાખવામાં આવ્યા છે. ઝોન પાંચ એટલે કે આ વિસ્તારમાં ખતરનાક ભૂકંપ આવવાની વધુ આશંકા બની રહે છે. 1934થી અત્યાર સુધી હિમાલયી વિસ્તારમાં પાંચ મોટા ભૂકંપ આવી ચુક્યા છે.
ભૂકંપની તીવ્રતા અને કેન્દ્રનો અર્થ શું હોય છે?
ભૂકંપની તીવ્રતા અને સમયને માપવા માટે સિસ્મોગ્રાફનો ઉપયોગ કરવામાં આવે છે. સિસ્મોગ્રાફ દ્વારા ધરતીમાં થતી હલચલનો ગ્રાફ બનાવવામાં આવે છે. ભૂકંપના કેન્દ્રનું અર્થ તે સ્થળ જેની નીચેની પ્લેટોમાં હલચલ થાય છે. જે હાઇપોસેન્ટર કહેવાય છે. અહી સૌથી વધુ કંપન પણ થાય છે. કંપનની આવૃતિના દૂર થતા તેનો પ્રભાવ ઓછો થતો જાય છે.
રિક્ટર સ્કેલ પર 7 કે તેથી વધુની આવૃતિ ધરાવતા ભૂકંપ છે તો આસપાસના 40 કિમી સુધીના દાયરામાં ઝડપી ઝટકા અનુભવાય છે. જો ભૂકંપની આવૃતિ ઉપરની તરફ હોય છે તો ઓછા વિસ્તારમાં ભૂકંપની અસર પડે છે બીજી તરફ જો આ આવૃતિ દાયરામાં હોય તો એક મોટો વિસ્તાર ભૂકંપની ચપેટમાં આવે છે.
ભૂકંપની તીવ્રતા વધવાનો અર્થ સમજો
ભૂકંપની તીવ્રતા નંબરથી માપવામાં આવે છે. જેમ જેમ આ નંબર વધે છે, તેમ તેમ ભૂકંપથી નીકળતી ઉર્જા પણ વધતી જાય છે. ભૂકંપની તીવ્રતા 1 અંક વધતા તેમાંથી નીકળનારી ઉર્જા 32 ગણી વધી જાય છે. જેમ 5 તીવ્રતાનો ભૂકંપ 4ની તીવ્રતા ધરાવતા ભૂકંપથી 32 ગણી વધારે ઉર્જા નીકળે છે. આ રીતે આ આગળ વધે છે અને તેનાથી થતો ખતરો પણ વધે છે.
8 તીવ્રતા ધરાવતા ભૂકંપમાં 1,000 ગણી વધુ ઉર્જા નીકળે છે
વૈજ્ઞાનિકોએ ભારતમાં 8 કે તેથી વધુની તીવ્રતા સાથે ભૂકંપ આવવાની વાત કરી છે. 8ની તીવ્રતા ધરાવતા ભૂકંપમાં 7 તીવ્રતા ધરાવતા ભૂકંપ કરતા 1,000 ગણી વધારે ઉર્જા નીકળે છે. 8ની તીવ્રતા ધરાવતા ભૂકંપને ખતરનાક માનવામાં આવે છે, તેનો શિકાર ઘણો મોટો વિસ્તાર હોય છે અને આ લાંબા સમય સુધી અનુભવાય છે. આ ભૂકંપ બિલ્ડિંગને પુરી રીતે નષ્ટ કરી નાખે છે. કૉલમ, દીવાલ, ભારે ફર્નીચર આ ભૂકંપના ઝટકાથી પડી જાય છે. 8 કે તેથી વધુની તીવ્રતા ધરાવતો ભૂકંપ વર્ષમાં એક વખત આવી શકે છે.
તો શું ભૂકંપનો સાચો અંદાજો લગાવી શકાય છે
તુર્કીમાં આવેલા ભૂકંપ પછી કેટલાક વૈજ્ઞાનિક ભૂકંપને લઇને ચેતવણી આપતા રહ્યા છે. એવામાં તેમણે એવો પણ સવાલ કરવામાં આવ્યો કે તમે લોકો ભૂકંપની ભવિષ્યવાણીને લઇને કેટલા આશ્વસ્ત છો? કારણ કે ભૂકંપ અચાનક આવે છે અને પોતાની પાછળ વિનાશ અને બરબાદી છોડીને જાય છે.
આ વર્ષે તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપનું વૈજ્ઞાનિકોને પ્રથમ સંકેત તેમના સંવેદનશીલ ઉપકરણ પર જોવા મળેલા ફ્લેશથી મળ્યો હતો. આ મેસેજ ભૂકંપ શરૂ થયા પછી મળી શક્યો છે. ધરતી પર જ્યા ક્યાય પણ ભૂકંપ આવે છે ત્યા ત્રણ ટેકટોનિક પ્લેટ્સનો સંગમ થાય છે. આ પ્લેટને એનાતોલિયા, અરબ અને આફ્રિકા પ્લેટ્સના નામથી ઓળખવામાં આવે છે. તુર્કી અને સીરિયામાં પણ આ ત્રણ પ્લેટ્સ એક બીજા સાથે ટકરાઇ હતી.
વૈજ્ઞાનિકોનો મત છે કે ભૂકંપ તો આવવાનો જ હતો. હજુ પણ કેટલીક જગ્યાએ ભૂકંપ આવવાની વોર્નિંગ આપવામાં આવી રહી છે પરંતુ આ સવાલ ઉભો થાય છે કે વૈજ્ઞાની ભૂકંપ આવ્યા પહેલા સાચો સમય અને સાચી જગ્યા કેમ નથી જણાવી દેતા. આવો તેની પાછળના સત્યને સમજવાનો પ્રયાસ કરીએ.
ભૂકંપનું પૂર્વાનુમાન ઘણુ મુશ્કેલ છે. આ સાચુ છે કે ભૂકંપ આવવા દરમિયાન અથવા તેના પ્રસાર થયા પછી કેટલાક સંકેત મળે છે પરંતુ ભૂકંપને લઇને પહેલાથી જ ભવિષ્યવાણી કરવી એક મુશ્કેલ કામ છે.
વૈજ્ઞાનિક 1960ના દાયકાથી ભૂકંપના પૂર્વાનુમાનના પ્રયાસમાં લાગ્યા છે પરંતુ ભૂકંપની ફૉલ્ટ લાઇન્સને કારણે તેનો અંદાજ લગાવવો એક પડકાર છે. ફૉલ્ટ લાઇન્સ આખી દુનિયાની ધરતીની અંદર ફેલાયેલી છે. આ ફૉલ્ટ લાઇન્સને કારણે પૃથ્વની અંદર સતત હલચલ ચાલુ રહે છે, જેનાથી એક દિવસમાં કેટલાક ભૂકંપ આવી રહ્યા છે. જોકે, આ તમામ ભૂકંપ તાકાતવર નથી હોતા અને તેનાથી કોઇ નુકસાન પણ થતુ નથી.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર, પ્રાકૃતિક આફતથી થતા મોતમાં અડધાથી વધુ મોત ભૂકંપને કારણે જ થાય છે. વર્ષ 1998-2017 વચ્ચે ભૂકંપથી વિશ્વભરમાં આશરે 75,0000 મોત થયા છે.
Advertisement