Dropouts Student: જમ્મુ-કાશ્મીરમાં બેક-ટૂ-વિલેજ (B2B) કાર્યક્રમના ચોથા તબક્કામાં લગભગ 14000 શાળા ડ્રોપ આઉટ ફરીથી પોતાની સ્કૂલમાં પરત ફર્યા છે. આ જાણકારી અધિકારીઓએ આપી છે. મુખ્ય સચિવ અરૂણ કુમાર મેહતાની અધ્યક્ષતામાં થયેલી એક બેઠકમાં અધિકારીઓએ કહ્યું કે, શાળા છોડી ચૂકેલા 14 હજારથી વધારે બાળકોએ બીજી વખત અભ્યાસ શરૂ કર્યો છે.
Advertisement
Advertisement
મુખ્ય સચિવ 27 ઓક્ટોબરથી ત્રણ નવેમ્બર સુધી આયોજિત એક સરકારી સહાયતા કાર્યક્રમની ઉપલબ્ધિઓની સમીક્ષા બેઠક માટે અહીં આવ્યા હતા. અધિકારીઓએ કહ્યું કે, આ કાર્યક્રમની સૌથી મોટી ઉપલબ્ધિ છે કે ગુણવત્તાપૂર્ણ શિક્ષણ સાથે અભ્યાસ છોડી ચૂકેલા 13,977 બાળકો શાળામાં પરત ફર્યા છે.
અધિકારીઓ અનુસાર આ કાર્યક્રમ 21,329 વ્યક્તિઓને સ્વરોજગારની તક આપવામાં સફળ રહ્યું છે. તેમને જણાવ્યું કે, મરઘા પાલન, આવાસ, પરિવહન અને સ્વાસ્થ્ય જેવા ક્ષેત્રમાં કુલ 277 સહકારી સમિતિઓ પણ નોંધાયેલી છે.
તેમણે કહ્યું કે કૃષિ ક્ષેત્રમાં ‘જન અભિયાન’ દરમિયાન 14,567 સોઈલ હેલ્થ કાર્ડ અને 5,914 કિસાન ક્રેડિટ કાર્ડ જારી કરવામાં આવ્યા હતા. આટલું જ નહીં, 4,063 ઈ-શ્રમ કાર્ડ બનાવવાની સાથે કાર્યક્રમ દરમિયાન પરપ્રાંતિય કામદારો સહિત 24,179 મજૂરોની નોંધણી કરવામાં આવી હતી.
મુખ્ય સચિવે અધિકારીઓને દરેક ક્વાર્ટરમાં ઓછામાં ઓછી એક વખત તેમની પંચાયતની મુલાકાત લેવા અને આગામી એક વર્ષ દરમિયાન વિસ્તાર માટે પંચાયત પ્રભારી તરીકે કાર્ય કરવા જણાવ્યું છે.
Advertisement