શિવસેના સાંસદ સંજય રાઉત (Sanjay Raut)ને જમીન મળી ગઈ છે. તેમને PMLA કોર્ટે જમાનત આપી દીધી છે. સંજય રાઉતની પાત્રા ચોલ ભૂમિ કૌભાંડ સાથે જોડાયેલ મની લોન્ડ્રીંગના કેસમાં એક ધરપકડ કરવામાં આવી હતી. ઈડીએ 31 જૂલાઇએ રાઉતના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા અને આગામી દિવસોમાં તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. સંજય રાઉત 101 દિવસથી જેલમાં હતા. જોકે, એવી અટકળો છે કે ઈડી આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારશે.
Advertisement
Advertisement
કયા કેસમાં થઇ હતી ધરપકડ?
સંજય રાઉતની ધરપકડ પાત્રા ચોલ લેન્ડ સ્કેમ કેસમાં થઈ હતી. તેમના પર 1034 કરોડના કૌભાંડનો આરોપ છે. ઈડી અનુસાર મુંબઈ પશ્ચિમ મહાનગર ગોરેગાંવમાં સિદ્ધાર્થનગરની પાત્રા ચાલની 47 એકર જમીન પર 672 પરિવારોના ઘરોના પુનવિકાસ માટે વર્ષ 2007માં સોસાયટી દ્વારા મહારાષ્ટ્ર હાઉસિંગ ડેવલપમેન્ટ ઓર્થોરિટી (MHADA) અને ગુરૂ આશીષ કન્સ્ટ્રક્શન કંપની વચ્ચે કરાર થયો. કરાર હેઠળ ગુરૂ આશીષ કન્સ્ટ્રક્શનને પાત્રા ચાલને પુનવિકસિત કરવાનું કામ મળ્યું. આ કરાર હેઠળ કંપનીને સાઢા ત્રણ હજારથી વધારે ફ્લેટ બનાવીને MHADAને આપવાના હતા. તે પછી બચેલી જમીન પ્રાઇવેટ ડેવલપર્સને વેચવાની હતી.
ગુરૂ આશીષ કન્સ્ટ્રક્શન, હાઉસિંગ ડેવલપમેન્ટ ઈન્ફાસ્ટ્રક્ચર લિમિટેડ (HDIL)ની સહાયક કંપની છે. એચડીઆઈએલ પંજાબ અને મહારાષ્ટ્ર સહકારી (પીએમસી) બેંકમાં લગભગ 4300 કરોડ રૂપિયાના કથિત કૌભાંડના સંબંધમાં ઈડી અને કેટલીક અન્ય એજન્સીઓ દ્વારા તપાસના દાયરામાં છે.
તપાસમાં શું મળ્યું?
ઈડી અનુસાર પાત્રા ચોલ કૌભાંડે પ્રવીણે 95 કરોડ રૂપિયાની કમાણી કરી અને તે પૈસા સંબંધીઓ અને દોસ્તોમાં વહેંચી દીધા હતા. આમાં લગભગ 83 લાખ રૂપિયા સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતના ખાતમાં આવ્યા હતા. તે પછી 55 લાખ રૂપિયાની રકમ સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતે માધુરી રાઉતને પરત ટ્રાન્સફર કરી દીધા હતા.
Advertisement