નવી દિલ્હી: દિલ્હીની એક કોર્ટે પહેલવાન સાગર ધનખડ હત્યા કેસમાં રેસલર સુશીલ કુમાર સહિત કુલ 17 લોકો વિરૂદ્ધ આરોપ નક્કી કર્યા છે. આ આરોપ હત્યા, હત્યાનો પ્રયાસ, રમખાણ અને અન્ય ગુનાહિત કલમ હેઠળ ગુનાહિત ષડયંત્ર રચવા માટે કોર્ટે નક્કી કર્યા છે. આ મામલે 17માંથી 2 આરોપી ફરાર છે, કોર્ટે ફરાર આરોપીઓ વિરૂદ્ધ પણ આરોપ નક્કી કર્યા છે.
Advertisement
Advertisement
મહત્વપૂર્ણ છે કે 4 મે 2021ની રાત્રે છત્રસાલ સ્ટેડિયમમાં સાગર અને સોનૂને માર મારવામાં આવ્યો હતો. હૉસ્પિટલમાં સારવાર દરમિયાન સાગરનું મોત થયુ હતુ અને આ ઘટનામાં સોનૂ મહાલને ગંભીર ઇજા થઇ હતી. મહત્વપૂર્ણ છે કે દિલ્હીની રોહિણી કોર્ટે જૂનિયર પહેલવાન સાગર ધનખડ હત્યા કેસમાં બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ આરોપ નક્કી કરીને પોતાનો આદેશ સુરક્ષિત રાખી લીધો છે. કોર્ટે હવે 17 આરોપીઓ વિરૂદ્ધ આરોપ નક્કી કરી લીધા છે.
શું છે આખી ઘટના?
મહત્વપૂર્ણ છે કે ગત વર્ષે 4-5 મેની રાત્રે દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં ઓલમ્પિયન સુશીલ કુમાર પોતાના કેટલાક સાથીઓ સાથે પહોચ્યો હતો. અહી તેને મારપીટ કરી હતી. આ મારપીટમાં પહેલવાન સાગર ધનખડ ઘાયલ થયો હતો અને પછી તેનું મોત થયુ હતુ. માર માર્યા બાદ સુશીલ કુમાર ફરાર હતો. 17 દિવસ પછી 23 મેએ સુશીલ કુમારની દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે ધરપકડ કરી હતી. સુશીલ કુમાર સહિત આ હત્યાકાંડ સાથે જોડાયેલા કેટલાક આરોપી પોલીસ કસ્ડડીમાં છે અને તિહાર જેલમાં બંધ છે.
Advertisement