મુંબઇ: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર વિકેટ કીપર રિષભ પંતને લઇને એક અપડેટ સામે આવ્યું છે. રિષભ પંતને દહેરાદૂનથી મુંબઇ શિફ્ટ કરવામાં આવશે. રિષભ પંતને મુંબઇ રેફર કરવામાં આવશે.
Advertisement
Advertisement
રિષભ પંતને લઇને આ અપડેટ દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA)ના હવાલાથી આપ્યુ છે. ડીડીસીએના ડિરેક્ટર શ્યામ શર્માએ આ જાણકારી આપી છે. રિષભ પંતની સારવાર અત્યારે દહેરાદૂનની મેક્સ હૉસ્પિટલમાં ચાલી રહી છે.
રિષભ પંત ખુદ કાર ચલાવીને પોતાના ઘરે રૂડકી જતો હતો
મહત્વપૂર્ણ છે કે રિષભ પંતને ઇજાને કારણે શ્રીલંકા વિરૂદ્ધ ટી-20 અને વન ડે ટીમમાં પસંદ કરવામાં આવ્યો નહતો. બીસીસીઆઇએ રિષભ પંતને રિહૈબ માટે બેંગલુરૂ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) જવા કહ્યુ હતુ. આ પહેલા તે ક્રિસમસ મનાવવા દૂબઇ ગયો હતો. અહી તેને પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સાથે ક્રિસમસની ઉજવણી કરી હતી.
તે બાદ રિષભ પંત પરત ફર્યો હતો અને દિલ્હીથી પોતાની કારમાં હોમ ટાઉન રૂડકી જતો હતો. આ દરમિયાન 30 ડિસેમ્બરે રિષભ પંતની કારને અકસ્માત થયો હતો. આ દૂર્ઘટના રૂડકી પાસે ગુરૂકુલ નારસન એરિયામાં થઇ હતી. રિષભ પંત કારમાં એકલો હતો અને ખુદ જ ગાડી ચલાવતો હતો. રિષભ પંતે જણાવ્યુ કે તે વિંડ સ્ક્રીન તોડીને બહાર આવ્યો હતો અને તે બાદ કારમાં ભીષણ આગ લાગી હતી.
Advertisement