અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે હવે ગણતરીના દિવસ બાકી છે. દરેક પાર્ટી જોર શોરથી પ્રચાર કરી રહી છે. જોકે, ટિકિટને લઇને ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ નારાજગી અને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ચૂંટણી નજીક આવતા જ નેતાઓ પક્ષ પલટો કરી રહ્યા છે. ટિકિટ કપાયા બાદ રેશ્મા પટેલ NCPમાંથી રાજીનામું આપીને આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગયા છે.
Advertisement
Advertisement
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાની હાજરીામં AAPનું સભ્ય પદ લીધુ હતુ. આ પ્રસંગે રાઘવ ચઢ્ઢાએ ભાજપ પર નિશાન સાધતા કહ્યુ કે સૂરતના આપના ઉમેદવારોનું અપહરણ કરી લેવામાં આવ્યુ છે. રેશ્મા પટેલ એનસીપીમાં મહિલા મોર્ચાના અધ્યક્ષ હતા અને હવે આપમાં સામેલ થઇ ગઇ છે. તે પાટીદાર આંદોલનનો ચહેરો પણ રહી છે, તેને સામાજિક કાર્યોના માધ્યમથી સેવા કરી છે અને આજે તે આમ આદમી પાર્ટી સાથે જોડાઇ છે.
મહત્વપૂર્ણ છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ રાજકીય પારો ગરમ છે. આ વચ્ચે એનસીપીથી નારાજ રેશ્મા પટેલ હવે આમ આદમી પાર્ટીમાં સામેલ થઇ ગયા છે. રેશ્મા પટેલ વીરમગામ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતરશે. જો આવુ થયુ તો તે આંદોલનના જૂના સાથી હાર્દિક પટેલ વિરૂદ્ધ મેદાનમાં હશે.
રેશ્મા પટેલે NCPમાંથી આપ્યુ હતુ રાજીનામું
NCP ગઠબંધન બાદ રેશ્મા પટેલને ગોંડલથી ટિકિટ આપવામાં આવી નહતી જેનાથી નારાજ થઇને રેશ્મા પટેલ સહિત કેટલાક પદાધિકારીઓએ રાજીનામું આપી દીધુ હતુ. રાજકોટ જિલ્લા અધ્યક્ષે પણ રાજીનામું આપ્યુ છે.
Advertisement