ચંદીગઢ: હત્યા અને રેપ કેસમાં સજા કાપી રહેલા ડેરા સચ્ચા સૌદા પ્રમુખ રામ રહીમ ફરી એક વખત જેલની બહાર આવી શકે છે. રોહતકની સુનારિયા જેલમાં સજા કાપી રહેલા ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામ રહીમે ફરી એક વખત પેરોલ માટે અરજી કરી છે.
Advertisement
Advertisement
26 જાન્યુઆરીના ભંડારા અને સત્સંગ માટે ડેરામુખીએ જેલ તંત્રને અરજી મોકલી છે અને સિરસા આવવાની પરવાનગી માંગી છે. હરિયાણા સરકાર અને તંત્ર સુરક્ષા એન્ગલ પર વિચાર કરી રહ્યા છે.
ડેરા સચ્ચા સૌદાના બીજા સંત શાહ સતનામ મહારાજના જન્મ દિવસ પર ડેરામાં 25 જાન્યુઆરીએ ભંડારા અને સત્સંગનું આયોજન કરવામાં આવશે. આ આયોજનમાં સામેલ થવા માટે ડેરામુખી ગુરમીત રામ રહીમ ફરી એક વખત જેલની બહાર આવી શકે છે.
સિરસામાં જો રામ રહીમ આવે છે તો સરકાર માટે પણ રિસ્ક બની શકે છે, માટે આ મામલે વિચાર કરવામાં આવી રહ્યો છે. સૂત્રો અનુસાર, સિરસા ડીસી પાસે લૉ ઓર્ડરની ફાઇલ પહોચી ગઇ છે. જેની પર રિવ્યૂ કરવાનો બાકી છે.
40 દિવસ પહેલા જ જેલમાંથી બહાર આવ્યા હતા રામ રહીમ
મહત્વપૂર્ણ છે કે ડેરા પ્રમુખ ગુરમીત સિંહ રામ રહીમ 15 ઓક્ટોબર 2022માં પેરોલ પર જેલની બહાર આવ્યો હતો. 40 દિવસ સુધી તે બરનાવાના ડેરા સચ્ચા સૌદા આશ્રમમાં રહ્યો હતો. આ દરમિયાન તે દીકરી હનીપ્રીત અને પરિવારના અન્ય સભ્ય પણ સાથે હતા. રામ રહીમે ડેરામાં દીવાળી અને ડેરાના સંસ્થાપકનો જન્મદિવસ મનાવ્યો હતો. પેરોલ દરમિયાન રામ રહીમે ઓનલાઇન સત્સંગ પણ કર્યો હતો અને તેને લઇને સવાલ ઉભા થયા હતા. હવે ફરી એક વખત રામ રહીમ તરફથી પેરોલ માંગવામાં આવ્યા છે.
Advertisement