નવી દિલ્હી: પેરોલ પર જેલમાંથી બહાર આવેલા ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામ રહીમ ફરી એક વખત વિવાદમાં આવી ગયા છે. રામ રહીમના સત્સંગમાં શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી. આ સત્સંગમાં કેટલાક નેતા પણ રામ રહીમના આશીર્વાદ લેવા માટે પહોચી ગયા હતા. રામ રહીમે ઉત્તર પ્રદેશના બાગપતથી ઓનલાઇન સત્સંગ કર્યુ હતુ. આ સત્સંગમાં નેતાઓની લાઇન લાગી હતી અને તે બાદ હરિયાણામાં રાજકીય વિવાદ થયો હતો. સત્સંગ દરમિયાન હરિયાણાના કરનાલ જિલ્લાના પંચાયત ચૂંટણીમાં ઉભા થનારા ઉમેદવારોએ પણ આશીર્વાદ લીધા હતા.
Advertisement
Advertisement
સત્સંગમાં ભાજપના કેટલાક નેતા પણ સામેલ થયા હતા. જેમાં મહાનગરપાલિકાના મેયર રેણુ બાલા ગુપ્તા, જિલ્લા અધ્યક્ષ યોગેન્દ્ર રાણા, ડેપ્યુટી મેયર નવીન કુમાર અને રામ રહીમના સત્સંગમાં પોતાની હાજરી લગાવી હતી સાથે જ કરનાલમાં આવવાનું આમંત્રણ પણ આપ્યુ હતુ.
ડેપ્યુટી મેયરની સ્પષ્ટતા- ચૂંટણી સાથે સબંધ નથી
મર્ડર અને યૌન શોષણમાં સજા કાપી રહેલા રામ રહીમ સામે ભાજપના નેતાઓનું નતમસ્તક થવુ ચર્ચાનો વિષય બની ગયુ છે. સાથે જ ચૂંટણીમાં ફાયદો લેવા માટે રામ રહીમને પેરોલ આપવાની પણ ચર્ચા છે. જોકે, ભાજપના નેતાઓએ રામ રહીમ સાથે કોઇ રીતનું કનેક્શન ના હોવાનું નિવેદન આપ્યુ છે. સીનિયર ડેપ્યુટી મેયરે કહ્યુ, બાબાજીનું સત્સંગ હતુ, તેમની સાથ સંગતે સત્સંગમાં બોલાવ્યા હતા અને યૂપીથી ઓનલાઇન સત્સંગ કર્યુ હતુ. બોલાવા પર પહોચીને સંગત સાથે મળવાનું થયુ હતુ. મારા વોર્ડના ઘણા લોકો બાબા સાથે જોડાયેલા છે, તેમનો કાર્યક્રમ હતો. અમે સામાજિક રીતે કાર્યક્રમમાં પહોચ્યા હતા. જેમાં ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણીનો કોઇ સબંધ નથી.
આ પણ વાંચો: બિલકિસ બાનો કેસમાં નવો ખુલાસો; રિહાઇથી પહેલા 1,000 દિવસ સુધી બહાર રહ્યાં બધા આરોપી
જનતાનો આશીર્વાદ જરૂરી- ડેપ્યુટી મેયર
ડેપ્યુટી મેયર નવીને કહ્યુ, કરનાલનું મોટુ સત્સંગ હતુ. જે સત્સંગના વિશે સૂચના મળી, તે ત્યા પહોચી ગયા છે. ચૂંટણીમાં જીતવા માટે રામ રહીમનો આશીર્વાદ લેવાના સવાલ પર નવીને કહ્યુ કે જનતાએ તેમણે પોતાના વોર્ડથી ચૂંટ્યા છે, જનતા જ આ વસ્તુનો નિર્ણય કરે છે. જનતાનો આશીર્વાદ હોવો જરૂરી છે. પેરોલની ચૂંટણી સાથે કનેક્શન હોવાના સવાલ પર ડેપ્યુટી મેયરે કહ્યુ કે કોઇ પણ માણસ પોતાની ખુશીથી પેરોલની માંગ કરી શકે છે, તેની પર અમારા જેલ મંત્રી અને ન્યાયાલયને પેરોલ આપવાનો અધિકાર છે.
જેલ મંત્રીએ કહ્યુ- આ અમારી ડ્યૂટી નથી
હરિયાણાના જેલ મંત્રી રંજીત સિંહે આ મામલે પ્રક્રિયા આપતા કહ્યુ, પેરોલ પર કોઇ બહાર આવે છે, જો તે સારો સ્વિમર છે તો સ્વિમિંગ કરશે, ગોલ્ફનો ખેલાડી છે તો ગોલ્ફ રમશે, તેના જીવનને તો આપણે ચેક કરી શકતા નથી. જ્યા સુધી આપણા જેલ મંત્રાલયનું કામ છે અમારૂ કામ છે જેલમાં તેમના પર નજર રાખવી, તેના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવુ, તેના ખાવા-પીવાની વ્યવસ્થા કરવી, તેની સુરક્ષા કરવી. જેલની ચાર દિવારી બહાર અમારી કોઇ ડ્યૂટી બનતી નથી. પેરોલ કૉમ્પિટન્ટ ઓથોરિટી આપે છે અને ઓર્ડર સેશન્સ જજ આવે છે. અમારૂ કામ માત્ર તેની રખવાળી કરવાનું છે. જો કોઇ બહાર ગયુ તો આગળ ઓથોરિટીનું કામ છે, તેને લઇને જશે અને જ્યારે પરત આવશે તો અંદર અમારો વિભાગ સંભાળી લેશે.
ટીએમસીના સાંસદ મહુઆ મોઇત્રાએ ભાજપ પર પ્રહાર કર્યા છે, તેમણે ટ્વીટ કરીને લખ્યુ, આગળ શું! ભાજપ ‘બળાત્કાર દિવસ’ને રાષ્ટ્રીય રજા જાહેર કરી રહી છે? બળાત્કારના દોષી રામ રહીમને ફરી પેરોલ મળ્યા, સત્સંગના આયોજનમાં હરિયાણા ભાજપના કેટલાક નેતા સામેલ થયા હતા.
Advertisement