જ્યારે તમે રસ્તા પર ચાલી રહ્યાં હોવ છો ત્યારે સંવાદ ખુબ જ શાનદાર હોય છે. હું જ્યારે લોકો સાથે વાત કરી રહ્યો હોવ છું ત્યારે તેમના દુ:ખને સમજવાની કોશિશ કરૂ છું: રાહુલ ગાંધી
Advertisement
Advertisement
ઉપરોક્ત નિવેદન રાહુલ ગાંધીનું છે. ભારત જોડો યાત્રા પર નિકળેલ ગાંધીની યાત્રાનો એક મહિનો પૂરો થવા પર કર્ણાટકના થરૂવેકેરેમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન આ વાતો કરી હતી.
રાહુલ ગાંધીએ કહ્યું કે “મને ખોટી રીતે ચિત્રરવા માટે અને અસત્ય રીતે દર્શાવવાના પ્રયાસમાં મીડિયામાં હજારો કરોડ રૂપિયા અને ઘણી શક્તિ ખર્ચવામાં આવી છે”.
“આ મશીન તેનું કામ કરવાનું ચાલુ રાખશે. તે ખૂબ જ વ્યવસ્થિત અને આર્થિક રીતે સશક્ત મશીન છે. પરંતુ મારું સત્ય અલગ છે. આ સત્ય હંમેશા અલગ હતું. અને જે લોકો ધ્યાનપૂર્વક જોશે તેઓ સમજી શકશે કે મારૂ સત્ય શું છે અને હું ક્યાં મૂલ્યો સાથે ઉભો છું.
રાહુલ ગાંધીએ 7 સપ્ટેમ્બરે કન્યાકુમારીથી મહત્વકાંક્ષી ભારત જોડો યાત્રા શરૂ કરી હતી અને 3750 કિલોમીટર પગપાળા ચાલીને તે 150 દિવસ પછી કાશ્મીર પહોંચશે.
આમ તો ભારત જોડો યાત્રાનું જાહેર હેતુ ભારતમાં બીજેપીની વિભાજનકારી રાજનીતિને પડકારવાનો છે. રાહુલ ગાંધીની આ યાત્રાને એક મહિનો થઈ ચૂક્યો છે અને હવે તે કેરલ થઇને કર્ણાટકમાં દસ દિવસ પ્રસાર કરી ચૂક્યા છે.
રાહુલ ગાંધી પોતાની યાત્રા દરમિયાન લોકો સાથે સીધો સંવાદ કરી રહ્યાં છે, સામાન્ય લોકો સાથે વધારે સમાય પ્રસાર કરી રહ્યાં છે. વચ્ચે-વચ્ચે લોકોના ઘરે પણ જઇ રહ્યાં છે અને પત્રકારોના પ્રશ્નના જવાબો પણ આપતા રહ્યાં છે.
સોશિયલ મીડિયા પર તેમની અનેક ભાવુક તસવીરો પણ વાયરલ થઇ છે, જેમાં તેઓ વરસાદ વચ્ચે ભાષણ આપતા, માં સોનિયા ગાંધીના બૂટની દોરી બાંધતા અને હિજાબ પહેરેલી બાળકીને ગળે લગાવતા નજરે પડી રહ્યાં છે.
કોંગ્રેસના રાજ્યસભા સભ્ય ઈમરાન પ્રતાપગઢી કહે છે, પાછલા એક મહિનાથી ભારત જોડો યાત્રા સતત ચાલી રહી છે અને આખા દેશમાં આ યાત્રાને લઈને એક અલગ રીતનું રાજકીય અને સામાજિક માહોલ બનેલો છે.
પ્રતાપગઢી કહે છે, આ યાત્રાની મહત્વપૂર્ણ વાત તે છે કે, આનાથી એક એવી તસવીર બની રહી છે, જેને વર્તમાન સમયમાં દક્ષિણ ભારતી રાજનીતિને હચમચાવી નાંખી છે અને તેનો સંદેશ ઉત્તર ભારત અને દેશના અલગ-અલગ હિસ્સાઓ સુધી જઈ રહ્યો છે. આ યાત્રાએ તે મિથક તોડ્યા છે જે કોંગ્રેસ અને રાહુલ ગાંધીને લઇને બનાવવામાં આવ્યા હતા.
શું બદલાઇ રહી છે રાહુલ ગાંધીની છબિ?
રાહુલ ગાંધીએ 2019ની ચૂંટણીમાં કોંગ્રેસની ખરાબ હારની જવાબદારી સ્વીકારીને પાર્ટીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતુ. પાર્ટી નેતાઓના વારં-વાર આગ્રહ છતાં પણ અધ્યક્ષ પદને સ્વીકાર્યું નહીં. નિષ્ણાતો અનુસાર સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીને એક અપરિપક્વ નેતાના રૂપમાં રજૂ કરતાં આવતા રહ્યાં છે.
તેવામાં પ્રશ્ન તે છે કે શું ભારત જોડો યાત્રાથી રાહુલ ગાંધી પોતાની તે તસવીરને તોડીને એક નવી છબી બનાવી શકી રહ્યાં છે કે નહીં.
વિશ્લેષકોને લાગે છે કે રાહુલ ગાંધીએ પોતાને એક ગંભીર રાજનેતાના રૂપમાં સ્થાપિત કરી લીધા છે. સત્તાધારી પાર્ટી બીજેપીએ રાહુલ ગાંધીને એક નબળા અને મજાકીય નેતાના રૂપમાં રજૂ કરવાની કોશિશ કરી છે. વિશ્લેષકો માને છે કે રાહુલ ગાંધીએ પોતાની આ યાત્રાથી વિરોધીઓ દ્વારા બનાવવામાં આવેલી છબીને તોડી નાંખી છે.
વરિષ્ઠ પત્રકાર વિજય ત્રિવેદી અનુસાર, રાહુલના ચરિત્રને નબળો કરવાની એક યોજના રહી હશે, તેમને સોશિયલ મીડિયા પર અગંભીર નેતાના રૂપમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેમના માટે અપશબ્દોનો ઉપયોગ સતત થતો આવતો રહ્યો છે. પરંતુ હવે આ યાત્રાને એક મહિનો પૂરો થઇ ચૂક્યો છે અને આવી રીતના શબ્દો તેમના માટે સાંભળવા મળ્યા નથી. એક મહત્વપૂર્ણ વાત તે પણ છે કે રાહુલ ગાંધીની આ યાત્રાને રાજકિય ડ્રામાના રૂપમાં દેખવામાં આવતી નથી. પરંતુ ચોક્કસ રીતે અનેક લોકો એવું કહી રહ્યાં છે કે રાહુલ ગાંધીએ આ યાત્રા પહેલા જ કરવી જોઇતી હતી.
વિજય ત્રિવેદી કહે છે કે, રાહુલ ગાંધી પર જે ઠપ્પા સોશિયલ મીડિયા થકી લગાવવામાં આવ્યા અને તેમની છબિ કઢવામાં આવી તેનાથી તેઓ બહાર નિકળી આવ્યા છે. તેનો પુરાવો તે જ છે કે તેમના માટે ઉપયોગ થનારા આપત્તિજનક વિશેષણોનો ઉપયોગ હવે થઇ રહ્યો નથી.
રાધિકા રામાશેષન કહે છે કે બીજેપીની તે કોશિશ રહી છે કે તેઓ રાહુલ ગાંધીને અગંભીર વ્યક્તિ અને રાજનીતિમાં એક જોકરની જેમ પ્રોજેક્ટ કરે. બીજેપીને તેમાં સફળતા પણ મળી હતી. પરંતુ આ યાત્રા રાહુલ ગાંધીની છબિ બદલી રહી છે. રાહુલ ગાંધી હવે ગંભીર નિવેદન આપી રહ્યાં છે.
રાધિકા કહે છે કે, અત્યાર સુધી રાહુલની યાત્રાનો હેતુ રાજકીય હોય તેવું જરાપણ લાગ્યું નથી. પરંતુ જ્યારે-જ્યારે મીડિયા તેમને પ્રશ્ન કરે છે, તે દરેક પ્રશ્નના જવાબ રાહુલ આપી રહ્યાં છે. તેઓ પ્રશ્નથી ભાગી રહ્યાં નથી. તેઓ સમજી-વિચારીને જવાબ આપી રહ્યાં છે અને લાગી રહ્યું છે કે, આ યાત્રાથી રાહુલ ગાંધીની છબિમાં ધરખમ ફેરફાર થઇ રહ્યાં છે. ખાસ કરીને તે છબિમાં તે બીજેપી દ્વારા બનાવવામાં આવી હતી.
પત્રકાર સઈદ નકવી કહે છે કે, “રાહુલ ગાંધી પોતાની જાતને ગંભીર રાજનેતાના રૂપમાં સ્થાપિત કરી શકે છે કે નહીં તેના કરતાં મોટો પ્રશ્ન તે છે કે તેઓ કેટલી જનતાને પોતાની તરફ આકર્ષિત કરી શકે છે. રાહુલ ગાંધીની રાજકીય ગંભીરતા તેમના પગપાળાથી ચાલવાથી થશે નહીં. અત્યાર સુધીની યાત્રાથી લાગી રહ્યું છે કે રાહુલ ગાંધી લોકોનું ધ્યાન તેમના તરફ ખેંચવામાં સફળ રહ્યાં છે. કોંગ્રેસ માટે આ એક સારા સંકેત છે. ”
Advertisement