કોંગ્રેસ નેતા જયરામ રમેશે મંગળવારે લોકસભામાં મોદી સરકાર પર નિશાન સાધતા આરોપ લગાવ્યો કે અદાણી કેસ પર રાહુલ ગાંધીના આરોપોને લોકસભાના રેકોર્ડમાંથી હટાવી દીધા છે.
Advertisement
Advertisement
તેમણે સરકાર પર લોકસભામાં લોકશાહીના ‘અંતિમ સંસ્કાર’ કરવા જેવા ગંભીર આરોપ લગાવ્યા છે.
કોંગ્રેસના સંચાર બાબતોના પ્રભારી મહાસચિવ રમેશે આ અંગે એક ટ્વીટ કર્યું છે.
તેમણે લખ્યું, “પ્રધાનમંત્રી સંબંધિત અદાણી મહામેગાસ્કેમ પર રાહુલ ગાંધીની ટિપ્પણીને હટાવવાની સાથે જ લોકસભામાં લોકશાહીનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો.” ઓમ શાંતિ.”
With the expunging of @RahulGandhi‘s remarks on PM linked Adani MahaMegaScam, deMOcracy was cremated in the Lok Sabha. OM Shanti
— Jairam Ramesh (@Jairam_Ramesh) February 8, 2023
આ પહેલા મંગળવારે રાહુલ ગાંધીએ સંસદમાં આરોપ લગાવ્યો હતો કે વર્તમાન કેન્દ્ર સરકારે અદાણી જૂથને સરકારી સંસાધનોથી તેનો બિઝનેસ વધારવામાં મદદ કરી છે.
તેમણે કહ્યું હતું કે આ દેશની વિદેશ નીતિ નથી, આ અદાણીજીની વિદેશ નીતિ છે તેમનો બિઝનેસ વધારવાની. ગાંધીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે સરકારના દબાણ હેઠળ અદાણી જૂથને હજારો કરોડની સરકારી લોન આપવામાં આવી હતી, જેના કારણે જૂથનો બિઝનેસ આગળ વધ્યો હતો.
જોકે, જ્યારે તેઓ આ આરોપો લગાવી રહ્યા હતા ત્યારે ભાજપના ઘણા સાંસદોએ તેમનો જોરદાર વિરોધ કર્યો હતો. નિશિકાંત ઠાકુર, રવિશંકર પ્રસાદ, અર્જુન રામ મેઘવાલ જેવા સાંસદોએ દાવો કર્યો હતો કે રાહુલ ગાંધી સંસદમાં પીએમ મોદી પર કોઈપણ પુરાવા વિના ગંભીર આરોપો લગાવી રહ્યા છે.
Advertisement