સૂરત: રાહુલ ગાંધીએ સૂરતમાં જનસભાને સંબોધીને ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રચારનો પ્રારંભ કર્યો હતો. આ દરમિયાન રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કર્યા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા.
Advertisement
Advertisement
રાહુલ ગાંધીએ કહ્યુ કે, ભાજપના લોકો તમને આદિવાસી નથી કહેતા, વનવાસી કહે છે, તે તમણે એમ નથી કહેતા કે તમે હિન્દુસ્તાનના પ્રથમ માલિક છો તે તેમણે કહે છે કે તમે જંગલમાં રહો છો, ભાજપ તે નથી ઇચ્છતુ કે તમે શહેરમાં રહો, તમારૂ બાળક એન્જિનિયર કે ડૉક્ટર બને, હવાઇ જહાજ ઉડાવતા શીખે, અંગ્રેજી બોલે, તે ઇચ્છે છે તમે જંગલમાં રહો. થોડા સમય પછી તેઓ જંગલ છીનવવાનું કામ શરૂ કરી દે છે અને 5-10 વર્ષ પછી જંગલ તેમના 2-3 ઉદ્યોગપતિ મિત્રોના હાથમાં હશે, તમારે રહેવાની કોઇ જગ્યા નહી હોય, તમારૂ શિક્ષણ નહી હોય અને સ્વાસ્થ્ય અને રોજગાર નહી મળે.”
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યુ કે, આદિવાસી શબ્દનો અર્થ આ દેશ તમારો હતો અને આ દેશમાં તમને હક મળવો જોઇએ, તમને રોજગાર મળવો જોઇએ, તમારા બાળકોને સ્વાસ્થ્ય અને શિક્ષણ મળવુ જોઇએ. તમે વનવાસી નથી તમે આદિવાસી છો અને આ દેશ તમારો છે અને રહેશએ. આ દેશમાં તમારી જમીનની રક્ષા થશે, તમને શિક્ષણ-સ્વાસ્થ્ય મળશે અને યુવાઓને રોજગાર મળશે. અમે દેશમાં જમીન અધિકાર બીલ લાવ્યા, ફોરેસ્ટ રાઇટ એક્ટ તમારી રક્ષા કરવા માટે લાવ્યા. આ ક્રાંતિકારી કાયદા હતા પણ જ્યા ભાજપની સરકાર છે તેમણે આ કાયદા લાગુ નથી કર્યા, તે આ કાયદાને કમજોર કરે છે લાગુ નથી કરતા.”
ભાજપના લોકો તમને આદિવાસી નથી કહેતા, શું કહે છે તમને વનવાસી. તે તમણે એમ કહેતા નથી કે તમે ભારતના પ્રથમ માલિક છો તે તમણે કહે છે કે તમે જંગલમાં રહો છો.
ભાજપ તે નથી ઇચ્છતુ કે તમે શહેરોમાં રહો કે તમારા બાળક એન્જિનિયર બને, ડોક્ટર બને, હવાઇ જહાજ ઉડાવતા શીખે, અંગ્રેજી બોલે તે નથી ઇચ્છતા. તે ઇચ્છે છે તમે જંગલમાં રહો. તે અહી રોકાતા નથી તે પછી તે તમારી પાસેથી જંગલ છીનવવાનું કામ શરૂ કરી દે છે. આજથી તેમનું કામ ચાલતુ ગયુ તો પાંચ-10 વર્ષ પછી જંગલ તેમના 2-3 ઉદ્યોગપતિ મિત્રોના હાથમાં હશે. તમારે રહેવાની કોઇ જગ્યા નહી હોય,તમારૂ શિક્ષણ નહી હોય, તમને સ્વાસ્થઅય અને રોજગાર નહી મળે.
કોંગ્રેસના નેતાએ કહ્યુ કે, આ ફરક છે અમારામાં અને તેમનામાં, અમે તમને મનરેગા આપ્યુ, રોજગાર આપ્યુ, સ્કોલરશિપ આપી, જમીન અધિકાર આપ્યો, આ તમને નથી આપતા તે માત્ર તમારી જમીન તમારી પાસેથી છીનવી લે છે. આ તમારે નિર્ણય કરવાનો છે કે એક તરફ કોંગ્રેસ છે અને બીજી તરફ ભાજપ. એક તરફ તમારી જમીન, તમારા હક, શિક્ષણ-સ્વાસ્થ્ય છે અને બીજી તરફ દુખ અને તમારા અધૂરા સપના છે.
આ પણ વાંચો: ગુજરાત ચૂંટણી: દેવગઢબારિયામાં ચૂંટણી પહેલા જ કોંગ્રેસ હાર્યુ, NCPના ઉમેદવારે ફોર્મ પાછુ ખેચ્યુ
રાહુલ ગાંધીએ કહ્યુ કે, અમે ઇચ્છીએ છીએ કે જે તમારો ઇતિહાસ છે, જીવવાનો રીત છે તે બધાની રક્ષા થાય. આજકાલ દુનિયામાં લોકો એન્વાયરમેન્ટની વાત કરે છે, મોટી મોટી કોન્ફરન્સ થાય છે, દુનિયાના નેતાઓ મળે છે. એન્વાયરમેન્ટ અંગે આપણા આદિવાસી ભાઇઓને તેમના કરતા વધારે જાણકારી છે.
વધુમાં કોંગ્રેસના નેતાઓ કહ્યુ કે, અમારૂ કામ, સરકારનું કામ તમારો અવાજ સાંભવાનો છે. જેવી રીતે અમે ભારત જોડો યાત્રા કરી રહ્યા છીએ, રસ્તા પર ચાલીને પગમાં છાલા પડાવીને તમારી વાત સાંભળવાનું અમારૂ કામ છે, તમે બધા અહી દૂર દૂરથી આવ્યા, આટલી ગરમીમાં આવ્યા, હુ દિલથી તમારો આભાર માનવા માંગુ છુ, તમે આટલો પ્રેમ આપ્યો તે માટે તમારો આભાર. જયહિન્દ.
Advertisement