તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને કહ્યું છે કે રાહુલ ગાંધી ભાજપની ‘સંકુચિત’ રાજનીતિનો ‘જવાબ’ છે.
Advertisement
Advertisement
ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસ પુનરુત્થાનના માર્ગ પર છે અને રાષ્ટ્રીય રાજકારણમાં કોંગ્રેસની પ્રાસંગિકતા ઓછી થઈ નથી.
તેમણે કહ્યું કે ‘ભાઈ’ રાહુલ ગાંધીએ લોકોમાં સનસનાટી મચાવી દીધી છે.
તેમણે કહ્યું કે સોનિયા ગાંધીએ કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા માટે ઘણી મહેનત કરી છે, જેના પરિણામો હવે દેખાઈ રહ્યા છે.
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દિલ્હી પહોંચ્યા બાદ રોકી દેવામાં આવી છે. આ યાત્રા 3 જાન્યુઆરી 2023થી ફરી શરૂ થશે. કોંગ્રેસે અનેક વિપક્ષી પાર્ટીઓને પણ આ યાત્રામાં સામેલ થવા આમંત્રણ આપ્યું છે.
Advertisement