પંજાબમાં ખાલિસ્તાન ચળવળને ડામવા માટે ધરપકડો શરુ થઈ ગઈ છે. આ સાથે પંજાબ પોલીસને અમૃતપાલનું સીધું કનેક્શન પાકિસ્તાની જાસૂસી એજન્સી આઈએસઆઈ સાથે હોવાના પુરાવા મળ્યા છે. આઈએસઆઈ ભારતમાં આતંકવાદ અને હિંસા ફેલાવવા માટે ખાલિસ્તાનીઓનો ઉપયોગ કરી રહી છે.
Advertisement
Advertisement
આજે સતત બીજા દિવસે પણ પંજાબમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ રાખવામાં આવી હતી અને પંજાબ અને હરિયાણા પોલીસ હાઈએલર્ટ પર છે.
એજન્સીઓ અને પોલીસના અહેવાલો અનુસાર અમૃતપાલ પંજાબમાં ખાલિસ્તાની ચળવળને વેગ આપવા માટે આનંદપુર ખાલસા ફોર્સની રચના કરવા જઈ રહ્યો હતો. પંજાબ પોલીસને અમૃતપાલના ઘરેથી કેટલાંક પુરાવા મળ્યા છે. જેમાં એક જેકેટનો સમાવેશ થાય છે. આ જેકેટ પર આનંદપુર ખાલસા ફોર્સ લખેલું હતું. તેના ઘરની દિવાલો પર પણ એકેએફ લખેલું હતું.
પંજાબ પોલીસના ઉચ્ચ અધિકારી સ્વપ્ન શર્માએ અમૃતપાલને પકડવા માટે તેનો પીછો કર્યો હતો ત્યારે તે છ બાઈકને ટક્કર મારીને કાર બદલીને ભાગી જવામાં સફળ રહ્યો હતો. સાથે તેણે પોતાનો મોબાઈલ પણ તોડી નાંખ્યો હતો. પંજાબ પોલીસે રાજ્યમાં નાકાબંધીના આદેશો આપ્યા છે. હવે હરિયાણા પોલીસ પણ અમૃતપાલને પકડવા માટે એક્ટિવ થઈ ગઈ છે. જાલંધરના એક ગામમાંથી એક કારમાં એક રાઈફલ અને કારતૂસો મળી આવ્યા છે. હિમાચલ અને હરિયાણાની બોર્ડર પર પણ સતત પોલીસ સક્રિય રીતે તપાસ કરી રહી છે. અત્યાર સુધીમાં અમૃતપાલ સાથે જોડાયેલા 78 જેટલા લોકોની પંજાબ પોલીસે ધરપકડ કરી છે.
Advertisement