પર્યાવરણના રક્ષણ માટે લોક ભાગીદારી જ સૌથી મોટું હથિયાર છે. આજે દિવસેને દિવસે
જે સમસ્યાઓ માણસજાત સામે આવી રહી છે તેનું નિરાકરણ માત્ર પર્યાવરણ પ્રત્યે જાગૃતિ
કેળવીને જ આવી શકશે. જો આપણી આસપાસ રહેલા વૃક્ષો, જળાશયો અને જીવોને હાનિ
પહોંચાડતા રહીશું તો કુદરતની આ સાઈકલ તૂટી જશે. વડોદરાની મહારાજા સયાજીરાવ
યુનિવર્સિટીના બોટની વિભાગના વિદ્યાર્થીઓએ એક અનોખું અભિયાન હાથ ધર્યું છે.
વિદ્યાર્થીઓએ કેમ્પસમાં રહેલા વૃક્ષોને QR કોડ લગાવશે. આ QR કોડ મોબાઈલથી સ્કેન
કરતાની સાથે જ વૃક્ષનું નામ, તેનું બોટનિકલ નામ, તેનું મૂળ અને તેની વિશેષતાઓ અને
ઉપયોગીતા શું છે વગેરે જાણકારી દેખી શકાશે.
બોટની વિભાગના ગાર્ડન સુપરવાઈઝર સ્નેહલબહેન ચાવડા તેમના વિભાગના
વિદ્યાર્થીઓની મદદથી આ કામગીરી શરુ કરી છે.
બોટની વિભાગના પ્રોફેસરે જણાવ્યું હતું કે, અમે હાલ ચોક્કસ જગ્યાઓ પર વૃક્ષોને ક્યૂઆર
કોડ લગાવીશું પરંતુ જો યુનિવર્સિટીના સત્તાધિશો ફંડ મજૂર કરશે તો કેમ્પસના બીજા
હિસ્સાઓના વૃક્ષોને પણ ક્યૂઆર કોડ લગાવવામાં આવશે.
Advertisement
Advertisement
Advertisement