પટણા: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર પર ફરી એક વખત નિશાન સાધ્યુ છે, તેમણે કહ્યુ કે પ્રશાંત જે ક્યારેક મારા ઘરમાં રહેતા હતા, મારી માટે કામ કરતા હતા, આજે તે ભાજપના એજન્ટના રૂપમાં કામ કરી રહ્યા છે. નીતિશ કુમારે પીકે પર આરોપ લગાવ્યો કે તેમણે મને જેડીયૂને કોંગ્રેસમાં વિલય કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. સાથે જ તેમણે પ્રશાંત કિશોરના આ દાવાને પણ ફગાવી દીધો કે તે તેમણે પોતાનો ઉત્તરાધિકારી બનાવવા માંગતા હતા.
Advertisement
Advertisement
પીકેને ઉત્તરાધિકારી બનાવવાના સવાલ પર નીતિશ કુમારે કહ્યુ કે આવી કોઇ વાત ક્યારેય થઇ નથી. તે કઇ પણ બોલતા રહે છે. તાજેતરમાં પ્રશાંત કિશોરે જન સુરાજ યાત્રા દરમિયાન દાવો કર્યો હતો કે નીતિશ કુમારે એક મુલાકાત દરમિયાન એક રજૂઆત કરી હતી કે તે તેમના ઉત્તરાધિકારી બની જાય પરંતુ તેમણે નીતિશના આ પ્રસ્તાવને ફગાવી દીધો હતો.
#WATCH | When asked about Prashant Kishor's claim that Nitish Kumar offered him a post recently, Bihar CM says, "It's false. Let him speak whatever he wants,we've nothing to do with it.4-5 yrs back he had told me to merge with Congress.He has gone to BJP & is acting as per it…" pic.twitter.com/5YUzAT6kv8
— ANI (@ANI) October 8, 2022
પ્રશાંત કિશોરે કહ્યુ, તે જેડીયૂ માટે કામ નહી કરે
પ્રશાંત કિશોરે નીતિશ કુમાર પર પ્રહાર કરતા તાજેતરમાં કહ્યુ હતુ કે નીતિશ કુમાર તેમણે ઉત્તરાધિકારી બનાવે અથવા તેમની માટે સીએમની ખુરશી છોડી દે પરંતુ તે જેડીયૂ માટે કામ નહી કરે. પ્રશાંત કિશોર જન સુરાજ અભિયાન હેઠળ બિહારની પોતાની 3500 કિલોમીટર લાંબી પદયાત્રા પર છે. પ્રશાંત કિશોરે જણાવ્યુ કે હું નીતિશ કુમારને મળવા ગયો હતો જેથી એમ જણાવી શકુ કે કેટલી પણ લાલચ આપો, જનતાને જે દાવા કર્યા છે તેની પાછળ નથી હટવાના.
આ પણ વાંચો: ભાગલા પાડો અને રાજ કરો! શું ગુજરાતમાં વિકાસ નહીં ધર્મના નામે લડાશે ચૂંટણી?
2018માં જેડીયૂમાં સામેલ થયા હતા પ્રશાંત કિશોર
મહત્વપૂર્ણ છે કે પ્રશાંત કિશોરને નીતિશ કુમારે 2018માં જેડીયૂમાં સામેલ કરવામાં આવ્યા હતા. બાદમાં તેમણે પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદ આપવામાં આવ્યુ હતુ. જોકે, CAA, NRC વિવાદને લઇને નીતિશ કુમાર સાથે વિવાદને કારણે તેમણે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
Advertisement