ગુજરાત એક્સક્લૂઝિવ: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો બરાબરનો માહોલ જામ્યો છે. રાજકીય પક્ષો એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપો કરીને પરિણામ પોતાના તરફી લાવવા માટે રાત-દિવસ એક કરી રહ્યાં છે. તમામ રાજકીય પક્ષોના નેતાઓ પોતાની સરકાર બનાવવા રાત-દિવસ એક કરી રહ્યાં છે. ત્યારે આજે વહેલી સવારે અમરેલીમાં ધાનાણીની બે લેવલ ઉપરની રાજનીતિએ ગુજરાતના રાજકારણમાં ભૂકંપ લાવી દીધો હતો.
Advertisement
Advertisement
કોંગ્રેસના ચાલુ ધારાસભ્ય અને ઉમેદવાર પરેશ ધાનાણી અચાનક ભાજપના કાર્યાલય પર પહોંચી ગયા હતા. પરેશ ધાનાણીએ બીજેપી ઓફિસ પહોંચીને કહ્યું હતું કે, ભાજપના કાર્યાલયમાં રહેલા તમામ કાર્યકરો કોંગ્રેસના કાર્યકર્તાઓ અને મને આશીર્વાદ આપે. અચાનક ભાજપના કાર્યાલયમાં ધાનાણીની એન્ટ્રી થતાં ભાજપ કાર્યાલયમાં બેસેલા નેતાઓ પણ થોડી વાર માટે તો સન્ન રહી ગયા હતા. જણાવી દઈએ કે, ધાનાણી ચૂંટણી જીતવા માટે મતદાન પહેલા વિરોધીઆના પગેલાગીને તેમના જ આશિર્વાદ લીધા હતા. આ દરમિયાન ધાનાણીએ પુરુષોતમ રૂપાલાને પગે લાગીને સાથે બેસીને ચાની ચૂસ્કી મારી હતી.
આ પહેલા પરેશ ધાનાણીએ મોડી રાત્રે રાજકમલ ચોક ખાતે એક જંગી સભા યોજી હતી. આ સભામાં તેમને ભાજપ પર અનેક આકરા આક્ષેપો કર્યા હતા. જોકે, વહેલી સવારે ભાજપના જ કાર્યાલયમાં પહોંચીને તેમને રાજકારણને એક લેવલ સુધી સીમિત હોવાનું દર્શાવી લીધું હતું.
જણાવી દઈએ કે, ખેડૂત અને પાટીદાર સમાજની બહુમતીવાળા અમરેલી જિલ્લાની બધી બેઠકો પર ભાજપ ક્યારેય ભગવો લહેરાવી શકી નથી. ગઈ ચૂંટણીમાં પાટીદાર આંદોલનના વાવાઝોડામાં તો ભાજપનો સફાયો થયો હતો.
જિલ્લાની પાંચેય બેઠક પર ભાજપની હાર થઈ હતી. એક સમયે ગુજરાતમાં સૌથી નાની ઉંમરે ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા પરેશ ધાનાણીએ સતત બે ટર્મથી અમરેલી સીટ પર ભાજપના ધુરંધરોને માત આપી છે. ભાજપના ધરખમ નેતા રૂપાલા, સંઘાણી બાદ ગઈ ચૂંટણીમાં બાવકુ ઉંધાડ ધાનાણીએ હરાવ્યા હતા.
Advertisement