ગાઝીપુર, માફિયા મુખ્તાર અંસારીને ગાઝીપુરની MP/MLA કોર્ટે 10 વર્ષની અને તેના ભાઈ BSP સાંસદ અફઝલને ગેંગસ્ટર કેસમાં 4 વર્ષની સજા ફટકારી છે.
Advertisement
Advertisement
જયારે કોર્ટે મુખ્તાર પર 5 લાખ રૂપિયા અને અફઝલ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. મુખ્તારના ભાઈ સાંસદ અફઝલને પણ ગેંગસ્ટર એક્ટમાં જ કોર્ટે દોષિત ઠેરવ્યો છે. અફઝલ અંસારીને બે વર્ષથી વધુની સજા કરવામાં આવી છે. આવી સ્થિતિમાં તેમનું સંસદ સભ્યપદ જવાનું નિશ્ચિત છે. આ વાતની સરકારી વકીલ નીરજ શ્રીવાસ્તવે પુષ્ટિ કરી છે.
ગેંગસ્ટર એક્ટનો આખો મામલો 2007માં કૃષ્ણાનંદ રાયની હત્યાનાં બે વર્ષ પછી પોલીસે નોંધ્યો હતો જે રાયની હત્યા પછી થયેલી આગચંપી, વિવાદ અને કારોબારી નંદ કિશોર રુંગટાના અપહરણ-હત્યાને આધાર બનાવીને પોલીસે આ કેસ દાખલ કર્યો હતો.
2007 પછી એટલે કે 16 વર્ષથી આ મામલો ગાઝીપુરની MP/ MLA કોર્ટમાં ચાલે છે. આ મામલે નિર્ણય 15 એપ્રિલે આવવાનો હતો. જોકે જજ રજા પર હોવાથી સુનાવણી મોકૂફ રાખવામાં આવી હતી. ગયા વર્ષે 23 સપ્ટેમ્બર, 2022ના રોજ બંને ભાઈઓ પર ગેંગસ્ટર એક્ટ હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો.
હકીકતમાં યુ.પીના કુખ્યાત ગણાતા4 વર્ષ પહેલાં 2005માં પૂર્વ ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની હત્યાના કેસમાં અંસારીબંધુઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. જોકે ગેંગસ્ટર એક્ટનો આ મામલો તેમની સાથે જ સંબંધિત છે. આવી સ્થિતિમાં કોર્ટના નિર્ણય પહેલાં કૃષ્ણાનંદ રાયની પત્ની અલકા રાયે કહ્યું હતું કે મને ન્યાયિક વ્યવસ્થામાં વિશ્વાસ છે. બીજી તરફ, અફઝલ અંસારીએ તાજેતરમાં કહ્યું હતું કે કોર્ટે અમને હત્યાના કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે. આવા કિસ્સામાં ગેંગસ્ટર એક્ટ હેઠળ કેસ માટે કોઈ આધાર નથી. મને કોર્ટ પર પૂરો વિશ્વાસ છે.”
બસપા સાંસદ અફઝલ અંસારી બે વાહનમાં ગાઝીપુર કોર્ટ પહોંચ્યા હતા. મુખ્તાર અંસારીને સપ્ટેમ્બર 2022થી 29 એપ્રિલ સુધી કુલ 4 કેસમાં દોષિત ઠરાવવામાં આવ્યો છે. મુખ્તારને 22 સપ્ટેમ્બર 2022ના રોજ 7 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. બીજા જ દિવસે તેને બીજા કેસમાં 5 વર્ષની સજા થઈ. બરાબર 84 દિવસ પછી MP/MLA કોર્ટે તેને 10 વર્ષની સજા સંભળાવી. ગાઝીપુર કોર્ટે શનિવારે 29 એપ્રિલ 2023ના રોજ ગેંગસ્ટર એક્ટમાં 10 વર્ષની સજા સંભળાવી હતી. આ BSP સાંસદ અને મુખ્તાર અંસારીના ભાઈ અફઝલ અંસારીનો ફાઈલ ફોટો છે. વર્ષ 1985થી 2002 સુધી ગાઝીપુરની મોહમ્મદબાદ વિધાનસભા બેઠક પર અંસારીબંધુઓનું વર્ચસ્વ હતું. વર્ષ 2002માં બીજેપી નેતા કૃષ્ણાનંદ રાય અંસારી પરિવારના વિજય રથને રોકીને ચૂંટણી જીત્યા અને ધારાસભ્ય બન્યા. તેમણે અફઝલ અંસારીને 8 હજાર મતોથી હરાવ્યા હતા. અહીંથી જ અંસારી અને કૃષ્ણાનંદ રાય વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. 29 નવેમ્બર 2005ના રોજ ચૂંટણી જીત્યાનાં ત્રણ વર્ષ પછી ભાજપના ધારાસભ્ય રાય એક ક્રિકેટ ટૂર્નામેન્ટનું ઉદઘાટન કરવા જઈ રહ્યા હતા. ટૂર્નામેન્ટ નજીકના ગામમાં હતી. એટલા માટે તેઓ બુલેટપ્રૂફ વાહનને બદલે સામાન્ય વાહનમાં ગયા હતા.
જ્યારે તેઓ અહીંથી પરત ફર્યા ત્યારે ભવાનર્કોલના બાસણિયા પુલિયા પાસે એક SUV તેમના વાહનની સામે આવીને ઊભી રહી. ધારાસભ્ય અને તેમના સાથીઓ કંઈ સમજે એ પહેલાં જ 8 લોકો એસયુવીમાંથી નીચે ઊતરી ગયા અને ફાયરિંગ શરૂ કરી દીધું.AK-47માંથી લગભગ 500 રાઉન્ડ ફાયર કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય અને તેમની સાથે કારમાં મુસાફરી કરી રહેલા 6 લોકો અને કાર પણ ફંગોળાઈ ગઈ હતી. ધારાસભ્ય કૃષ્ણાનંદ રાય સહિત 7 મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે તમામ મૃતદેહોમાંથી કુલ 67 જેટલી ગોળી મળી આવી હતી. મૃતકોમાં ધારાસભ્ય, મોહમ્મદના પૂર્વ બ્લોક ચીફ શ્યામ શંકર રાય, ભંવરકોલ બ્લોકના વિભાગીય પ્રમુખ રમેશ રાય, અખિલેશ રાય, શેષનાથ પટેલ, મુન્ના યાદવ અને તેમના અંગરક્ષક નિર્ભય નારાયણ ઉપાધ્યાયનો સમાવેશ થાય છે. આ હત્યાકાંડ પછી આખું પૂર્વાંચલ હચમચી ગયું હતું. ધારાસભ્યના સમર્થકોએ હોબાળો મચાવ્યો હતો, આગચંપી કરવામાં આવી હતી. ધારાસભ્યની પત્ની અલકા રાયે મુખ્તાર, અફઝલ અંસારી અને મુન્ના બજરંગી સહિત અન્ય ઘણા લોકો સામે કેસ નોંધ્યો છે. અલકા ઈચ્છતી હતી કે સીબીઆઈ આ ઘટનાની તપાસ કરે. સીબીઆઈએ થોડા દિવસો સુધી કેસની તપાસ કરી, પરંતુ પછી કેસ પડતો મૂક્યો. રાજનાથ સિંહે હત્યાકાંડના વિરોધમાં ચંદૌલીમાં ધરણાં કર્યા હતા. આ પછી કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. CBIએ મુખ્તાર અંસારીને મુખ્ય કાવતરાખોર ગણાવ્યો હતો. મુખ્તાર મઉ વિધાનસભા ક્ષેત્રમાંથી 5 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. 2005માં જ્યારે મઉમાં ફાટી નીકળેલી હિંસામાં તેમનું નામ સામે આવ્યું ત્યારે તેમણે કોર્ટમાં સરેન્ડર કર્યું. શશિકાંત રાય આ હત્યાકાંડના એકમાત્ર સાક્ષી હતા. થોડા દિવસો પછી તેમનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું. આ કેસમાં તપાસ ચાલી હતી, પરંતુ કોઈ પુરાવા મળ્યા ન હતા. આ પછી કૃષ્ણાનંદ હત્યા કેસના તમામ આરોપીઓને સન્માન સાથે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. બાહુબલી મુખ્તારે બે દિવસ પહેલાં મીડિયા સાથે વાતચીત કરી હતી.
કોલસાના વેપારી નંદ કિશોર રુંગટાની વર્ષ 1997માં પૂર્વાંચલના ભેલુપુરમાં અપહરણ કરીને હત્યા કરવામાં આવી હતી. નંદ કિશોરના ભાઈ મહાવીર પ્રસાદ રુંગટાએ ડિસેમ્બર 1997માં ભેલુપુર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો હતો. તેમનો આરોપ હતો કે 5 નવેમ્બર 1997ના રોજ સાંજે 5 વાગે મુખ્તાર અંસારીએ તેમને ટેલિફોન પર ધમકી આપી હતી.
મહાવીરે મહરુપુરના રહેવાસી મુખ્તાર અંસારી અને અતાઉર રહેમાન ઉર્ફે બાબુ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. આરોપ છે કે આ ઘટનાને મુખ્તારના સૌથી વિશ્વાસુ શૂટર અતાઉર રહેમાને અંજામ આપ્યો હતો. રહેમાને કોલસાના વેપારીનો વેશ ધારણ કર્યો હતો અને સોદાના બહાને નંદ કિશોરનું અપહરણ કર્યું હતું. તેણે નંદ કિશોરની હત્યા કરી લાશને પ્રયાગરાજમાં દાટી દીધી હતી.
Advertisement