કર્ણાટકમાં સરકાર બનાવવાની પ્રક્રિયા તેના અંતિમ ચરણમાં છે. સિદ્ધારામૈયા એક કુશળ વહીવટકર્તા અને સંગઠનકર્તા છે. તેઓ કુરુબા સમુદાયમાંથી આવે છે. કોંગ્રેસ પાર્ટીમાં થયેલા સતત રકાસ પછી સિદ્ધારામૈયાને ખૂબ જ સમજણપૂર્વક મુકવામાં આવી રહ્યા છે. તેમની સાથે અન્ય ત્રણ અગ્રણી ડી.કે.શિવકુમાર, એમ.બી.પાટીલ અે સતીશ જરકીહોલીને મુખ્યમંત્રી પદ પછીના અગત્યના પદ આપવામાં આવશે.એટલે કે કોંગ્રેસ આ નિર્ણયથી 64% વસતિને સંભાળી લેવા માગે છે.
Advertisement
Advertisement
કર્ણાટકમાં કુરુબાની વસતિ 7%, લિંગાયતની 16%, વોક્કાલિગાની 14%, SC/ST લગભગ 27% છે, , જોકે કોંગ્રેસ સંગઠન સાથે જોડાયેલા લોકોએ ડીકે શિવકુમારને તેમની સંગઠનાત્મક કુશળતાને જોતાં સીએમ બનાવવાની હિમાયત કરી છે. એવી દલીલ કરવામાં આવી રહી છે કે સિદ્ધારમૈયા વિપક્ષના નેતા અને મુખ્યમંત્રી બંને રહી ચૂક્યા છે. તેમની ઉંમર પણ વધુ છે, તેથી ડીકે શિવકુમારને સીએમ બનાવવા જોઈએ.
ટોચનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, આજે રાત સુધીમાં મુખ્યમંત્રીના નામનો નિર્ણય થઈ શકે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે જનતાનો અભિપ્રાય ડીકે શિવકુમારની તરફેણમાં છે પરંતુ મોટા ભાગના ધારાસભ્યોનું સમર્થન સિદ્ધારમૈયાને છે. બંને અત્યારે દિલ્હીમાં સીએમ પદની હાઈકમાન્ડ મીટિગમાં છે.
કોંગ્રેસ કર્ણાટકમાં કોઈ પણ પ્રકારનો ચાન્સ લેવા માંગતી નથી એટલે નિર્વાદિત અને પ્રજાલક્ષી ચહેરો જોડવા માંગે છે. બીજી તરફ આવનારી લોકસભાની ચૂંટણીમાં કર્ણાટક વધુ મજબૂત બને એ પ્રકારની વ્યૂહ રચના પણ આ સરકારના સર્જનમાં જોવા મળશે.
Advertisement