કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું છે કે બીજેપી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને તેમના પરિવારના લોકોની હત્યાનું ષડયંત્ર રચી રહી છે.
Advertisement
Advertisement
કર્ણાટકના ચિત્તાપુરના બીજેપી ઉમેદવારનો એક કથિત વીડિયો જારી કરતા સુરજેવાલાએ કહ્યું, મલ્લિકાર્જુન ખડગે અને તેમના આખા પરિવારને મારવાની કુટિલ ધૃણાસ્પદ ષડયંત્ર દર્શાવે છે કે રાજકીય વિમર્શ કેટલું નીચે જઈ શકે છે.
કર્ણાટકમાં દસ મેથી ચૂંટણી યોજાવા ઝઈ રહી છે. આનાથી પહેલા બીજેપી અને કોંગ્રેસ પ્રચારમાં પોતાની સંપૂર્ણ શક્તિ લગાવી દીધી છે. કોંગ્રેસ અહીં આક્રમક પ્રચાર કરી રહી છે. તો બીજી તરફ બીજેપી તરફથી રાજ્યોના નેતાઓની સાથે-સાથે પીએમ નરેન્દ્ર મોદી મેદાનમાં ઉતરી ચૂક્યા છે.
આજે પીએમ મોદી બેંગ્લોર સાઉત લોકસભા સીટ પર 26 કિલોમીટર લાંબો રોડ શો કરી રહ્યાં છે. તેઓ રવિવારે પણ રોડ શો કરશે, જેમાં 10 વિધાનસભા ક્ષેત્રોને કવર કરવામાં આવશે.
Advertisement