આજે એનસીપીની વર્કિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં શરદ પવારનું રાજીનામું ફગાવી દેવામાં આવ્યું છે. બેઠકમાં એનસીપીની કોર કમિટીએ પક્ષના વડા શરદ પવારને પક્ષનું નેતૃત્વ ચાલુ રાખવા વિનંતી કરતો ઠરાવ પસાર કર્યો હતો. શરૂઆતથી જ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સહિત સામાન્ય કાર્યકરો શરદ પવારને તેમનું રાજીનામું પાછું લેવા વિનંતી કરી રહ્યા છે. પરંતુ શરદ પવારે રાજીનામું પાછું લેવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે.
પાર્ટીની બેઠક પૂરી થયા પછી પ્રેસ કોન્ફરન્સમાં એનસીપી ઉપાધ્યક્ષ પ્રફુલ્લ પટેલે કહ્યું હતું કે શરદ પવારે 2 મેના રોજ અચાનક રાજીનામું જાહેર કર્યું હતું. તેમણે આગળની કાર્યવાહી માટે અને નવા પ્રમુખની પસંદગી માટે પક્ષના નેતાઓની એક સમિતિની નિમણૂક કરી હતી. આજે અમારી કમિટીની બેઠક હતી.
શરદ પવારે પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ નક્કી કરવા માટે 18 સભ્યોની સમિતિની રચના કરી હતી. આ સમિતિમાં પ્રફુલ્લ પટેલ, સુનિલ તટકરે, પીસી ચાકો, નરહરિ જીરવાલ, અજિત પવાર, સુપ્રિયા સુલે, જયંત પાટીલ, છગન ભુજબળ, દિલીપ વાલસે-પાટીલ, અનિલ દેશમુખ, રાજેશ ટોપે, જિતેન્દ્ર આવ્હાડ, હસન મુશ્રીફ, ધનંજય મુંડે, અને જયદેવનો સમાવેશ થાય છે.
શરદ પવારે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની ઓફર કર્યા બાદ NCPમાં ખળભળાટ મચી ગયો હતો. આજે પાર્ટીની એક સમિતિની બેઠક ચાલી રહી હતી.
શરદ પવારે ગુરુવારે કહ્યું હતું કે અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાનો તેમનો નિર્ણય પક્ષના ભાવિ અને નવા નેતૃત્વને તૈયાર કરવાનો છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સુપ્રિયા સુલેને NCPની રાષ્ટ્રીય કમાન સોંપવામાં આવી શકે છે. અજિત પવાર રાજ્યનું એકમ સંભાળી શકે છે.
Advertisement