મહિલા કુસ્તીબાજોના જાતીય સતામણીના આરોપોથી ઘેરાયેલા કેસરગંજના બીજેપી સાંસદ બ્રિજ ભૂષણ શરણ સિંહે અયોધ્યાના શ્રી રામ કથા પાર્કમાં 5 જૂને યોજાનારી રેલીને મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. સાંસદે આજે તેમના ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ કરીને આ માહિતી આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટી હાઈકમાન્ડે તેમને રેલી ન યોજવા સૂચના આપી હતી.
Advertisement
Advertisement
રેલીને મંજૂરી નથી
અયોધ્યા જિલ્લાના પોલીસ પ્રશાસને કલમ 144 લાગૂ હોવાથી અને પર્યાવરણ દિવસને ધ્યાનમાં રાખીને રેલીને પરવાનગી આપવાનો ઇનકાર કરી દીધો છે. સાંસદ અને તેમના સમર્થકો અયોધ્યામાં યોજાનારી રેલીની તૈયારીઓમાં વ્યસ્ત હતા. પોલીસ પ્રશાસનની સાથે ઈન્ટેલિજન્સ ટીમો પણ સમગ્ર મામલામાં ચાંપતી નજર રાખી રહી છે.
“જન ચેતના મહારેલી, 5 જૂન, અયોધ્યા ચલો” કાર્યક્રમ થોડા દિવસો માટે સ્થગિત – સિંહ
ભાજપા સાંસદે આજે તેમના ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરતા લખ્યું, “મારા પ્રિય શુભેચ્છકો! તમારા સમર્થનથી છેલ્લા 28 વર્ષથી લોકસભાના સભ્ય તરીકે મેં સેવા આપી છે. મેં સત્તા પર અને વિપક્ષમાં રહીને તમામ જાતિ, સમુદાય અને ધર્મના લોકોને એકજૂથ કરવાનો પ્રયાસ કર્યો છે. આ કારણોસર જ મારા રાજકીય વિરોધીઓ અને તેમના પક્ષોએ મારા પર ખોટા આરોપો લગાવ્યા છે. હાલની પરિસ્થિતિમાં કેટલાક રાજકીય પક્ષો વિવિધ સ્થળોએ રેલીઓ યોજીને પ્રાંતવાદ, પ્રાદેશિકવાદ અને વંશીય સંઘર્ષને પ્રોત્સાહન આપીને સામાજિક સમરસતાને ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે. હેતુ એ છે કે સમગ્ર સમાજમાં ફેલાયેલી દુષ્ટતા અંગે વિચારણા કરવા માટે 5મી જૂને અયોધ્યા ખાતે સંત સંમેલન યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે, પરંતુ હવે જ્યારે પોલીસ આરોપોની તપાસ કરી રહી છે અને સુપ્રીમ કોર્ટના ગંભીર નિર્દેશોને માન આપીને “જન ચેતના મહારેલી, 5 જૂન, અયોધ્યા ચલો” કાર્યક્રમ થોડાક દિવસો માટે મુલતવી રાખવામાં આવ્યો છે.
વધુમાં, તેમણે લખ્યું, આ મુદ્દે તમામ ધર્મો, જાતિઓ અને પ્રદેશોના લાખો સમર્થકો અને શુભેચ્છકોએ મને વિનમ્રભાવે સમર્થન આપ્યું છે. એટલે માટે હું દરેકનો આભાર વ્યક્ત કરું છું અને ખાતરી આપું છું કે હું અને મારો પરિવાર હંમેશા તમારા ઋણી રહીશું.
Advertisement