લોકસભા અને રાજ્યસભામાં મહિલા અનામત બિલ એટલે કે નારી શક્તિ વંદન બિલ પસાર થયા બાદ ઉજવણીનો માહોલ છે. સંસદના વિશેષ સત્ર બાદ જ્યારે પીએમ મોદી દિલ્હી ભાજપ કાર્યાલય પહોંચ્યા ત્યારે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મહિલાઓએ ફૂલોની વર્ષા કરીને પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. ભાજપ મહિલા મોરચા દ્વારા ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ કાર્યક્રમને સંબોધિત કરતા વિપક્ષ પર જોરદાર પ્રહારો કર્યા હતા.
Advertisement
Advertisement
બીજેપી હેડક્વાર્ટર ખાતે આયોજિત સમારોહને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આવનારી ઘણી પેઢીઓ સુધી આ નિર્ણય અને આ દિવસ ચર્ચામાં રહેશે. સંસદના બંને ગૃહોમાં ભારે બહુમતી સાથે ‘નારી શક્તિ વંદન કાયદો’ પસાર કરવા બદલ હું સમગ્ર દેશને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે હું દેશની તમામ મહિલાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ગઈકાલે અને પરમદિવસે આપણે એક નવો ઈતિહાસ રચાતો જોયો. આપણું સૌભાગ્ય છે કે કરોડો લોકોએ આપણને આ ઈતિહાસ રચવાની તક આપી છે.
આ ઉપરાંત, પીએમ મોદીએ કહ્યું કે મહિલા અનામત બિલના માર્ગમાં અનેક પ્રકારના અવરોધો હતા, પરંતુ જ્યારે ઈરાદા શુદ્ધ હોય અને પ્રયાસોમાં પારદર્શિતા હોય તો તે મુશ્કેલીઓને દૂર કરીને પણ પરિણામ લાવે છે. નારી શક્તિ વંદન કાયદો કોઈ સામાન્ય કાયદો નથી. આ નવા ભારતની નવી લોકશાહી પ્રતિબદ્ધતાની ઘોષણા છે. આ અમૃત કાળમાં સૌના પ્રયાસો દ્વારા વિકસિત ભારતના નિર્માણની દિશામાં આ એક ખૂબ જ મોટું અને મજબૂત પગલું છે. બંને ગૃહો દ્વારા નારી શક્તિ વંદન અધિનિયમ પસાર થવો એ પણ એ વાતની સાક્ષી છે કે જ્યારે સંપૂર્ણ બહુમતી સાથે સ્થિર સરકાર હોય છે ત્યારે દેશ કેવી રીતે મોટા નિર્ણયો લે છે અને મોટા સીમાચિહ્નો પાર કરે છે.
આ દરમિયાન પીએમ મોદીએ વિપક્ષ પર પણ નિશાન સાધતા કહ્યું કે આ પહેલા જ્યારે પણ આ બિલ (મહિલા આરક્ષણ બિલ) સંસદમાં આવ્યું ત્યારે તે યોગ્ય ન હતું, માત્ર નામ નોંધાયા હતા પરંતુ ક્યારેય નિષ્ઠાપૂર્વક કોઈ પ્રયાસ થયો નથી. ગઈકાલે સૌએ મતદાન તો કર્યું પણ સૌને એ વાતથી તકલીફ હતીકે ‘નારી શક્તિ વંદન’ શબ્દ શા માટે લાવવામાં આવ્યો છે, શું દેશની મહિલાઓને વંદન ન કરવા જોઈએ? આ કાયદાએ સાબિત કર્યું છે કે દેશને આગળ લઈ જવા માટે સંપૂર્ણ બહુમતીવાળી સરકાર ખૂબ જ જરૂરી છે.
Advertisement