2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિપક્ષે તેની તૈયારીઓ ઝડપી બનાવી દીધી છે. ભાજપ કોઈપણ ભોગે સત્તા પર પરત ન આવે એ સુનિશ્ચિત કરવાનો વિપક્ષ પ્રયાસ કરી રહ્યો છે. આ માટે વિરોધપક્ષના તમામ નેતાઓ એકબીજાને મળી રહ્યા છે, પરંતુ આ બેઠકની શું અસર થશે એ તો આવનારા સમયમાં જ ખબર પડશે. આવતા મહિને બિહારમાં વિપક્ષી પાર્ટીઓની એક બેઠક યોજાવાની છે. તેમાં કોંગ્રેસ પણ સામેલ થશે. લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ આ વાતને સમર્થન આપ્યું હતું.
Advertisement
Advertisement
અધીર રંજન ચૌધરીએ કહ્યું, ‘નીતીશ કુમારે પટણામાં યોજાનારી વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં હાજરી આપવાનું આમંત્રણ આપ્યું છે, જેને કોંગ્રેસે સ્વીકારી લીધું છે. રંજને કહ્યું કે એક વખત વિપક્ષ એક થઈ જશે તો તેને આગામી ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને હરાવવાની તક મળશે. અમે પહેલા દિવસથી જ અન્ય વિપક્ષી પાર્ટીઓને આ વાત કહી રહ્યા છીએ, પરંતુ વિપક્ષમાં કેટલાક તેમની સાથે સહમત છે અને કેટલાક અસહમત છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કહ્યું કે અમે કેટલાક પ્રાદેશિક પક્ષો એવાં છે જેમને કોંગ્રેસ સાથે સંગઠિત થવાનું મુશ્કેલ લાગે છે તે અમે જોઈ રહ્યા છીએ. તેમણે કહ્યું કે કોંગ્રેસ વતી અમારા નેતા મલ્લિકાર્જુન ખડગેએ જેમને બોલાવવા હોય તેમને બોલાવવાની જવાબદારી નીતિશ કુમારને સોંપી હતી. રંજને કહ્યું કે જો વિપક્ષ એક થઈ જશે તો મોદી ફરીથી સત્તામાં પાછા ફરી શકશે નહીં.
રંજને કહ્યું કે નીતીશ કુમારે ફોન કર્યો છે. કોંગ્રેસ આ બેઠકમાં હાજરી આપશે. જો તે અન્ય પ્રાદેશિક પક્ષોને આમંત્રણ આપશે તો તે જશે. તે ફક્ત તેમના પર નિર્ભર છે, પરંતુ કોંગ્રેસને કોઈ સમસ્યા નથી. એટલા માટે જ્યારે નીતિશે બધાને પટણામાં એકસાથે મળવાનું આમંત્રણ આપ્યું છે, ત્યારે કોંગ્રેસે આ આમંત્રણ સ્વીકાર્યું છે.
Advertisement