રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ અને પૂર્વ રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવના સંતાનોમાં તેમનો સૂર સ્પષ્ટપણે જોવા મળે છે. તેમના નાના પુત્ર અને નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ લોકોને લાલુ પ્રસાદનો જમાનો યાદ આવે એવી રીતે ઘણી વખત તેમની વાત કહે છે. આ વખતે ખૂલ્લા મંચ પર તેમણે કરેલું સંબોધન ચર્ચામાં છે, જેમાં તેજસ્વી યાદવે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને પડકાર ફેંક્યો હતો અને ચેતવણી આપી હતી.
Advertisement
Advertisement
તેજસ્વી બોલ્યા – આ વખતે અમે મોદીના રથને રોકીશું
નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે કહ્યું કે સૌએ દેશને આઝાદ કરાવવા માટે પોતાનું લોહી વહાવ્યું છે. જો કોઈ એવું ઈચ્છે કે કોઈને ભગાડી દે અથવા તેનો હક્ક છીનવી લે, તો આ મહાગઠબંધન સરકાર, નીતિશ કુમાર અને લાલુ યાદવના રહેતા કોઈના બાપમાં હિંમત નથી, કે તેમ કરી શકે. અમે તમારી સાથે ઉભા છીએ. શું ચાલ ચાલવામાં આવી રહી છે? શું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. લોકો બધું જોઈ રહ્યા છે. જે રીતે લાલુજીએ અડવાણીજીનો રથ રોક્યો હતો તેવી જ રીતે આ વખતે અમે મોદીજીનો રથ રોકીશું.
તમામ વિરોધ પક્ષોએ એક થવું પડશે
તેજસ્વી યાદવે વધુમાં કહ્યું કે 2024ની ચૂંટણી પહેલા તમામ વિપક્ષી પાર્ટીઓએ એક થવું પડશે. 2024માં આ લોકો ફરી આવશે તો દેશ બચશે નહીં. અત્યારે શું સ્થિતિ છે, બે લોકો દેશને વેચી રહ્યા છે અને બે લોકો દેશને ખરીદી રહ્યા છે. તેજસ્વી યાદવે ગુરુવારે જ્ઞાન ભવનમાં બિહાર સ્ટેટ હેન્ડલૂમ વીવર્સ સોસાયટી દ્વારા આયોજિત વીવર અને અંસારી કોન્ફરન્સમાં આ વાત કહી હતી. આ દરમિયાન તેજસ્વી યાદવે ભાજપ અને મોદી સરકાર પર જોરદાર પ્રહારો કર્યા હતા.
નાયબ મુખ્યમંત્રીએ કહ્યું – લોકશાહી ખતરામાં
કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા તેજસ્વી યાદવે કહ્યું કે લોકશાહી ખતરામાં છે અને બંધારણ સાથે છેડછાડ કરવામાં આવી રહી છે. કામના નામે કશું જ કરવામાં આવ્યું ન હતું. જુદા જુદા વચનો આપવામાં આવ્યા હતા. બે કરોડ લોકોને રોજગાર આપશે. ખાતામાં 15-15 લાખ રૂપિયા આવશે, સ્માર્ટ સિટી બનાવશે અને કોણ જાણે શું- શું. ખેડૂતોની આવક 2022 સુધીમાં બમણી કરવાની હતી, તેમણે એક પણ વચન પૂરું કર્યું નથી. આ પ્રશ્ન જ્યારે આપણે ઉઠાવીએ છીએ ત્યારે ભાજપ હિન્દુ મુસ્લિમ અને મંદિર મસ્જિદની વાતો કરવા માંડે છે. તેમણે ભાજપ પર નફરત ફેલાવવાનો આરોપ લગાવતા કહ્યું કે આ દેશ હિન્દુ, મુસ્લિમ, શીખ અને ખ્રિસ્તીઓ સૌનો છે, જેમણે દેશને આઝાદ કરાવવા માટે લોહી વહાવ્યું છે. ભાજપના લોકો કોઈના અધિકારો છીનવી લેવા માંગતા હોય, તો આ મહાગઠબંધન હોય ત્યાં સુધી, નીતિશ અને લાલુ છે ત્યાં સુધીઆવું થઈ શકશે નહીં. તેજસ્વીએ કહ્યું કે તમામ વિપક્ષી પાર્ટીઓ 23 જૂને પટણામાં યોજાનારી બેઠકમાં હાજરી આપવા માટે સંમત થયા છે. તમામ લોકોએ એક થવું પડશે.
Advertisement