દિલ્હી: ઓડિશાના બાલાસોરમાં ભયાનક ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 275 લોકોના મોત થયા છે અને 1100થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટનાને લઈને સતત રાજકીય નિવેદનબાજી પણ થઈ રહી છે. મમતા બેનરજી બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ વડાપ્રધાન મોદીને પત્ર લખીને ભયાનક ટ્રેન દુર્ઘટના પર સવાલ ઉઠાવ્યા છે. પોતાના પત્રમાં તેમણે પૂછ્યું છે કે છેલ્લાં 9 વર્ષથી રેલ્વેમાં 3 લાખ જગ્યાઓ પર ભરતી કેમ નથી થઈ?
Advertisement
Advertisement
કોંગ્રેસ અધ્યક્ષે ચાર પાનાના પત્રમાં અનેક સવાલો ઉઠાવ્યા
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ચાર પાનાના પત્રમાં અનેક સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે મોદી સરકાર દ્વારા વારંવાર લેવામાં આવતા ખોટા અને ઉતાવળા નિર્ણયોને કારણે રેલ યાત્રા અસુરક્ષિત બની ગઈ છે. જેના કારણે ટ્રેનમાં મુસાફરી કરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
રેલવે મંત્રી પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર નથીઃ ખડગે
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પર પણ નિશાન સાધતા ખડગેએ કહ્યું કે આટલો ગંભીર અકસ્માત થયો છે અને રેલવે મંત્રી પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર નથી. તેમણે પૂછ્યું કે તો પછી સીબીઆઈ તપાસનો આદેશ કેમ આપવામાં આવ્યો? સીબીઆઈના આગમનનો અર્થ જ એ થાય છે કે અહીં કોઈક ગુનો આચરવામાં આવ્યો છે.
આધુનિક, અદ્યતન અને અસરકારક બનાવવાને બદલે સાવકી માતા જેવો વ્યવહાર
સીબીઆઈ અથવા અન્ય કોઈ કાનૂની એજન્સી તકનીકી, સંગઠનાત્મક અથવા રાજકીય સમસ્યાને હલ કરી શકતી નથી. રેલવે સુરક્ષામાં ટેક્નિકલ નિષ્ણાતો, સિગ્નલિંગ અને મેન્ટેનન્સની પણ અછતનો સામનો કરવો પડી રહ્યો છે. બાલાસોર ટ્રેન દુર્ઘટનાને ઈતિહાસની સૌથી ભીષણ દુર્ઘટના ગણાવતા ખડગેએ કહ્યું કે રેલવેને વધુ આધુનિક, અદ્યતન અને કાર્યક્ષમ બનાવવાને બદલે તેની સાથે સાવકી માતા જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.
Advertisement