નવી દિલ્હી: રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપવા માટે વડાપ્રધાન મોદીએ લોકસભા પછી હવે રાજ્યસભાને સંબોધિત કર્યુ હતુ. આ દરમિયાન વિપક્ષી સાંસદોએ મોદી-અદાણી ભાઇ-ભાઇના નારા લગાવ્યા હતા.
Advertisement
Advertisement
રાજ્યસભામાં મોદી-અદાણી ભાઇ-ભાઇના નારા લાગ્યા
રાજ્યસભામાં વિપક્ષી સાંસદોએ મોદી-અદાણી ભાઇ-ભાઇના નારા લગાવ્યા હતા.
#WATCH राज्यसभा में विपक्षी सांसदों ने मोदी-अडानी भाई-भाई के नारे लगाए। प्रधानमंत्री ने राष्ट्रपति के अभिभाषण पर धन्यवाद प्रस्ताव का जवाब दिया। pic.twitter.com/gHKiAFxToL
— ANI_HindiNews (@AHindinews) February 9, 2023
વિપક્ષની નારેબાજી પર પીએમ મોદીએ પલટવાર કર્યો હતો. પીએમ મોદીએ કહ્યુ, કેટલાક લોકોનો વ્યવહાર નિરાશાજનક છે, તેમણે કહ્યુ કે કીચડ તેમની પાસે હતુ, મારી પાસે ગુલાલ. જેની પાસે જે હતુ ઉછાળી નાખ્યુ. મોદીએ કહ્યુ કે જેટલુ કીચડ ઉછાળશો, કમળ એટલુ જ ખિલશે. અમારી સફળતામાં તમારૂ યોગદાન ભુલાવી નથી શકાતુ.
પીએમ મોદીએ કહ્યુ, આઝાદી પહેલા અત્યાર સુધી અમારી સરકારમાં આવવા સુધી માત્ર 3 કરોડ ઘર સુધી નળથી જળ મળતુ હતુ. છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં 11 કરોડ ઘરને નળથી જળ મળી રહ્યુ છે. ભારત પાણીની સમસ્યા, જે દરેક પરિવારની સમસ્યા હોય છે, તેના વગર જીવ નથી ચાલી શકતુ. અમે તેને ખતમ કરવાની દિશામાં કામ કર્યુ. આ દેશના અડધાથી વધુ લોકો બેન્કના દરવાજા સુધી પહોચી ના શક્યા, અમે પરમેનેન્ટ સમાધાન કાઢ્યુ. છેલ્લા 9 વર્ષમાં જ 48 કરોડ જનધન બેન્ક ખાતા ખોલવામાં આવ્યા, તેમાંથી 32 કરોડ બેન્ક ખાતા ગ્રામીણ અને નાની જગ્યા પર ખુલ્યા છે.
60 વર્ષ કોંગ્રેસે ખાડા જ કર્યા- પીએમ મોદી
રાજ્યસભામાં પીએમ મોદીએ વિપક્ષના હંગામા વચ્ચે ભાષણ ચાલુ રાખતા કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ કહ્યુ, “60 વર્ષ કોંગ્રેસના પરિવારે ખાડા જ કર્યા છે. બની શકે કે તેમનો ઇરાદો ના હોય પરંતુ તેમણે કર્યા. જ્યારે તે ખાડા ખોદી રહ્યા હતા, 6 દાયકા બરબાદ કરી ચુક્યા હતા, ત્યારે દુનિયાના નાના-નાના દેશ પણ સફળતાના શિખરો પર પહોચી રહ્યા હતા.
Advertisement