ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું સ્વાસ્થ્ય બગડ્યુ છે. હીરાબાને અમદાવાદની યૂએન મહેતા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પીએમ મોદી માતા હીરાબાના ખબર અંતર પૂછવા માટે ગુજરાત આવી શકે છે. યૂએન મહેતા હોસ્પિટલમાં પોલીસનો પુરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
Advertisement
Advertisement
હીરાબાની ઉંમર 100 વર્ષ છે, છતા પણ કોઇ લાકડીના ટેકા વગર ચાલે છે. હીરાબાએ પોતાનું જીવુ સાદગીમાં જ વિતાવ્યું છે. પીએમ મોદી પણ તેમના જન્મદિવસે હીરાબાના આશીર્વાદ લેવા અવાર નવાર આવતા રહે છે અને તેમની માતાના ખબર અંતર પૂછતા રહે છે. હીરાબાએ આ વર્ષે જૂન મહિનામાં જ પોતાના 100માં જન્મ દિવસની ઉજવણી કરી હતી, ત્યારે પીએમ મોદીએ તેમના પગ ધોયા હતા અને આશીર્વાદ લીધા હતા.
ગુજરાત વિધાનસભા ચૂંટણીના એક દિવસ પહેલા જ પીએમ મોદી હીરાબાને મળ્યા હતા. તે અમદાવાદ એરપોર્ટ પર ઉતરીને સીધા ગાંધીનગરમાં પોતાની માતા હીરાબાને મળવા માટે તેમના ઘરે પહોચ્યા હતા. પીએમ મોદીએ માતા હીરાબા સાથે 45 મિનિટનો સમય વિતાવ્યો હતો.
Advertisement