નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે અગ્નિપથ યોજના સીમાચિહ્નરૂપ સાબિત થશે અને આ સશસ્ત્ર દળોને મજબૂત કરવા તથા ભવિષ્યના પડકારો માટે તૈયાર કરવામાં એક ગેમ ચેન્જર સાબિત થશે. વડાપ્રધાને ત્રણેય સેનામાં અગ્નિપથ યોજનાની પ્રથમ બેંચના અગ્નિવીરો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત કરતા આ વાત કરી હતી. વડાપ્રધાન કાર્યાલય (PMO) તરફથી જાહેર નિવેદન અનુસાર પીએમ મોદીએ એમ પણ કહ્યુ કે યુવા અગ્નિવીર સશસ્ત્ર દળોને વધુ યુવા અને ટેક સેવી પણ બનાવશે.
Advertisement
Advertisement
અગ્નિવીરોની ક્ષમતાની પ્રશંસા કરતા વડાપ્રધાને કહ્યુ કે તેમની ભાવના સશસ્ત્ર દળોની બહાદુરીને દર્શાવે છે, જેમણે હંમેશા રાષ્ટ્રના ઝંડાને ઉંચો રાખ્યો છે, તેમણે કહ્યુ, “આ પ્રસંગના માધ્યમથી તે જે અનુભવ પ્રાપ્ત કરશે, તે જીવન માટે ગર્વનો સ્ત્રોત હશે.” વડાપ્રધાને કહ્યુ કે નવો ભારત નવા જોશથી ભરેલો છે અને સશસ્ત્ર દળના આધુનિકીકરણની સાથે સાથે તેમણે આત્મનિર્ભર બનાવવાના પ્રયાસ ચાલુ રહ્યા છે. 21મી સદીમાં યુદ્ધ લડતા બદલવાની રીતનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને આ વાતચીત દરમિયાન સંપર્ક રહિત યુદ્ધના નવા મોરચા અને સાયબર યુદ્ધના પડકાર પર પણ ચર્ચા કરી હતી.
વડાપ્રધાન મોદીએ કહ્યુ, “ટેકનિકલ રીતે અદ્યતન સૈનિકો આપણા સશસ્ત્ર દળોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ખાસ કરીને યુવા પેઢીમાં આ ક્ષમતા છે, તેથી જ અગ્નિવીર આવનારા સમયમાં આપણા સશસ્ત્ર દળોમાં અગ્રણી ભૂમિકા ભજવશે. વડાપ્રધાને એમ પણ કહ્યુ કે આ યોજના મહિલાઓને વધુ સશક્ત બનાવશે, તેમણે આ વાત પર ખુશી વ્યક્ત કરી કે મહિલા અગ્નિવીર કેવી રીતે નૌસેનાનું ગૌરવ વધારી રહી છે. પીએમ મોદીએ કહ્યુ કે તે ત્રણેય દળમાં મહિલા અગ્નિવીરોને જોવા માટે ઉત્સુક છે. વડાપ્રધાને સિયાચિનમાં તૈનાત મહિલા સૈનિક અને આધુનિક ફાઇટર એરક્રાફ્ટ ઉડાડતી મહિલાઓના ઉદાહરણ આપતા અગ્નિવીરોને જણાવ્યું કે કેવી રીતે મહિલાઓ વિવિધ મોરચે સશસ્ત્ર દળોનું નેતૃત્વ કરી રહી છે.
Advertisement