સોમનાથ: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા પીએમ મોદી સોમનાથ મંદિર પહોચ્યા હતા. અહી તેમણે ભગવાન ભોલેનાથનું પંચામૃત અભિષેક કર્યુ હતુ, તેમણે ચાંદીના કળશથી શિવજીને જળ ચઢાવ્યું હતું. સોમનાથ દ્વાદશ જ્યોર્તિલિગમાં સામેલ છે. PM મોદી પાંચ વર્ષ પછી સોમનાથ પહોચ્યા છે. આ પહેલા તે 2017માં અહી આવ્યા હતા.
Advertisement
Advertisement
4 રેલીને સંબોધિત કરશે પીએમ મોદી
મોદી ગુજરાતમાં 4 રેલીને સંબોધિત કરશે. સૌથી પહેલા વેરાવળ અને પછી ધોરાજીમાં જનસભાને સંબોધિત કરશે. અમરેલી પછી અંતિમ જનસભા બોટાદમાં કરશે. આ પહેલા શનિવારે વલસાડના વાપીમાં 11 કિલોમીટર લાંબો રોડ શો કર્યા બાદ જનસભાને સંબોધિત કરી હતી.
ગુજરાતમાં બે તબક્કામાં યોજાશે મતદાન
ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન યોજાશે. 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કા માટે 89 બેઠકો પર મતદાન જ્યારે 5 ડિસેમ્બરે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન યોજાશે.
Advertisement