PM Modi On G-20: ભારતે ઔપચારિક રીતે આજે (1 ડિસેમ્બર) થી G20 નું પ્રમુખપદ સંભાળ્યું છે. ભારત આખા વર્ષ માટે વિશ્વના આર્થિક રીતે સમૃદ્ધ દેશોના સમૂહ G20ની અધ્યક્ષતા કરશે. G-20 વિશ્વના વેપારના 75 ટકાથી વધુ અને વિશ્વની બે તૃતીયાંશ વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. G20નું અધ્યક્ષપદ સંભાળતાની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા સામે આવી છે.
Advertisement
Advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “આજે જ્યારે ભારત તેની G-20 પ્રેસિડન્સીની શરૂઆત કરી રહ્યું છે, ત્યારે આપણે આવનારા વર્ષમાં વૈશ્વિક ભલાઇ માટે સર્વસમાવેશક, મહત્વાકાંક્ષી અને નિર્ણાયક એજન્ડા તરફ કેવી રીતે કામ કરી શકીએ તેના પર કેટલાક વિચારણા કરી છે.” છેલ્લા 17 G20 પ્રેસિડન્સી દરમિયાન, આર્થિક સ્થિરતા સુનિશ્ચિત કરવા, આંતરરાષ્ટ્રીય કરવેરા તર્કસંગત બનાવવા અને વિવિધ દેશોના વડાઓ પાસેથી દેવાના ભારને ઘટાડવા સહિતના કેટલાક મહત્વપૂર્ણ પરિણામ સામે આવ્યા છે.
‘શું G20 હજુ વધુ આગળ વધી શકે છે?’
વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, “આ સિદ્ધિઓનો અમને લાભ થશે અને અહીંથી આગળ વધીશું. હવે જ્યારે ભારતે આ મહત્ત્વપૂર્ણ પદ સંભાળ્યું છે, ત્યારે હું મારી જાતને પૂછું છું – શું G-20 વધુ આગળ વધી શકે છે? શું આપણે સમગ્ર માનવતાનું કલ્યાણ માનસિકતામાં મૂળભૂત પરિવર્તનને ઉત્પ્રેરિત કરી શકીએ છીએ?” પીએમએ કહ્યું કે હું માનું છું કે હા, અમે આ કરી શકીએ છીએ.
વડાપ્રધાને વ્યક્ત કરી ચિંતા
પોતાની વાતને આગળ વધારતા વડાપ્રધાન મોદીએ કહ્યું, “સમગ્ર ઈતિહાસમાં માનવતાનો જે સ્વરૂપ હોવો જોઈએ તેમાં એક પ્રકારની ઉણપ હતી. અમે મર્યાદિત સંસાધનો માટે લડ્યા કારણ કે અમારું અસ્તિત્વ બીજાને તે સંસાધનોને વંચિત રાખવા પર નિર્ભર હતું.” કમનસીબે આપણે આજે પણ એ જ શૂન્ય-યોગની માનસિકતામાં અટવાયેલા છીએ. આપણે આને ત્યારે જોઇએ છીએ, જ્યારે વિભિન્ન દેશ અથવા ક્ષેત્રો સંશાધનો માટે પરસ્પર લડે છે. આપણે તે ત્યારે જોવા મળે છે, જ્યારે આવશ્યકત વસ્તુઓની પૂરવઠાને હથિયાર બનાવવામાં આવે છે. તે ઉપરાંત આપણે તેને ત્યારે પણ જોઇએ છીએ, જ્યારે કેટલાક લોકો દ્વારા રસીઓની સંગ્રહખોરી કરવામાં આવે છે, ભલે જ અરબો લોકો બિમારીથી અસુરક્ષિત હોય.
પીએમએ ભારતીય સંસ્કૃતિનો ઉલ્લેખ કર્યો
વડાપ્રધાને કહ્યું, “કેટલાક લોકો દલીલ કરી શકે છે કે સંઘર્ષ અને લોભ એ માનવ સ્વભાવ છે. હું તેના સાથે અસંમત છું. ભારતમાં પ્રચલિત આવી જ એક પરંપરા એ છે કે તમામ જીવંત પ્રાણીઓ અને નિર્જીવ વસ્તુઓ પણ સમાન રીતે પાંચ મૂળભૂત તત્વોમાં- પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ પાંચ તત્વોથી બનેલા હોવાનું માનવામાં આવે છે. આ તત્વોની સંવાદિતા આપણી અંદર અને આપણી વચ્ચે ભૌતિક, સામાજિક, પર્યાવરણીય સુખાકારી માટે જરૂરી છે.”
‘આપણો યુગ યુદ્ધનો યુગ ન હોવો જોઈએ’
PM મોદીએ કહ્યું, “G-20ની ભારતની અધ્યક્ષતા વિશ્વમાં એકતાની આ સાર્વત્રિક ભાવનાને પ્રોત્સાહન આપવા માટે કામ કરશે, તેથી આપણી થીમ- ‘એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય’ છે. તે માત્ર એક નારો નથી. તે માનવ સ્થિતિમાં તાજેતરના ફેરફારોને ધ્યાનમાં લે છે જેને આપણે સામૂહિક રીતે પ્રશંસા કરવામાં નિષ્ફળ ગયા છીએ. આપણા યુગને યુદ્ધનો યુગ બને તેની જરૂરત નથી. તેવું બિલકૂલ થવું જોઈએ નહીં.
વડાપ્રધાને ભારતીય અર્થવ્યવસ્થાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, “ભારત આજે સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા છે. આપણું નાગરિક-કેન્દ્રિત શાસન મોડલ આપણા તેજસ્વી યુવાનોની સર્જનાત્મક પ્રતિભાને પોષતી વખતે સૌથી હાંસિયામાં ધકેલાઈ ગયેલા નાગરિકોની સંભાળ રાખે છે.”
Advertisement