ભોપાલ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશના કૂનો પાર્કમાં નામીબિયાથી લાવવામાં આવેલા ચિત્તાને છોડ્યા હતા. આ સાથે જ પીએમ મોદી ચિત્તાની તસવીર ક્લિક કરતા પણ જોવા મળ્યા હતા. પીએમ મોદીની સાથે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હાજર રહ્યા હતા.
Advertisement
Advertisement
70 વર્ષ પછી ભારતમાં ચિત્તાની વાપસી
70 વર્ષ પછી ફરી એક વખત ભારતમાં ચિત્તાની વાપસી થઇ રહી છે. 1952માં ચિત્તાને વિલુપ્ત જાહેર કરવામાં આવ્યા હતા. હવે ફરી દેશમાં ચિત્તાને વસાવવાની તૈયારી છે, તેની માટે નામીબિયાથી 8 ચિત્તા ભારત મંગાવવામાં આવ્યા છે, જેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રસંગે કૂનો નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા હતા.
Incredible Moment!#CheetahIsBack pic.twitter.com/Z0ZZAUclig
— Mann Ki Baat Updates मन की बात अपडेट्स (@mannkibaat) September 17, 2022
હવે ચિત્તાની ખાસિયતની વાત
-
120 કિલોમીટરની ઝડપથી દોડી શકે છે ચિત્તા
-
ચિત્તા દર સેકન્ડમાં ચાર કૂદકા મારે છે, ચિત્તાની વધુમાં વધુ ઝડપ 120 કિમી પ્રતિ કલાકની હોઇ શકે છે. સૌથી ફાસ્ટ ઝડપ દરમિયાન ચિત્તા 23 ફૂટ એટલે કે આશરે સાત મીટર લાંબી છલાંગ લગાવી શકે છે
-
ચિત્તાની રેકોર્ડ ઝડપ વધુમાં વધુ એક મિનિટ માટે રહી શકે છે. આ પોતાની ફૂલ સ્પીડથી માત્ર 450 મીટર દૂર સુધી જ દોડી શકે છે
-
ચિત્તા સિંહ, વાઘ, દીપડાની તુલનામાં ઘણો નાનો હોય છે, જેનાથી ઝડપ દરમિયાન તેના માથાથી ટકરાનારી હવાનું દબાણ ઘણુ ઓછુ થઇ જાય છે
નામીબિયાથી આવ્યા આઠ ચિત્તા
દક્ષિણ આફ્રિકાના નામીબિયાથી આવેલા ચિત્તામાં પાંચ માદા અને ત્રણ નર છે, ચિત્તાની ઉંમર અઢીથી સાડા પાંચ વર્ષ વચ્ચે છે. આઠ ચિત્તામાં બે સગા ભાઇ પણ સામેલ છે.
Advertisement